Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહિસાગર : બાલાસિનોરમાં અકસ્માતમાં લગ્નના વરઘોડા પર કાર ફરી વળતાં 25 લોકો ઈજાગ્રસ્ત

Share

ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં લગ્ન પ્રસંગમાં વિઘ્ન આવ્યું છે. ગઈકાલે નીકળેલા લગ્નના વરઘોડામાં નાચતા મહેમાનોને પુર ઝડપે આવતી સ્વીફ્ટ કારે અડફેટે લેતાં 25 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

હાલ ચાલી રહેલી લગ્નસરાની સિઝનમાં ઠેર ઠેર લગ્નો યોજાઈ રહ્યાં છે. ત્યારે ગઈકાલે બાલાસિનોરમાં દેવી પૂજક પરિવારમાં લગ્ન પ્રસંગ નિમિત્તે વરઘોડો નીકળ્યો હતો. જેમાં મહેમાનો નાચી રહ્યાં હતાં. આ દરમિયાન અચાનક પુરઝડપે આવતી કારે મહેમાનોને અડફેટે લેતાં આખા રસ્તે ચીચીયારીઓ શરૂ થઈ ગઈ હતી. કારની અડફેટથી 25 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.આ અંગેની જાણ થતાં બાલાસિનોર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં શહેરની કે.એમ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલ ટેન્કર લપસતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા

ProudOfGujarat

ભરૂચમાં ઓટોરિક્ષા ચલાવતા ચાલકો માટે ઇશ્રમ કાર્ડ બનાવી આપવાનું આયોજન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના સામોર ગામની સીમમાં કોઈક બે જવાબદાર ઉદ્યોગ દ્વારા કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોધાવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!