Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ઓટોરિક્ષા ચલાવતા ચાલકો માટે ઇશ્રમ કાર્ડ બનાવી આપવાનું આયોજન કરાયું.

Share

સમગ્ર ગુજરાતમાં તાજેતરમાં નાના પાયા પર કામ કરતા મજૂરો માટે સરકાર દ્વારા ઇશ્રમ કાર્ડ બનાવી આપવાનું જાહેર કરાયું છે જેમાં અસંગઠિત વર્ગમાં આવતા લોકોને લાભ આપવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી ઓટો રિક્ષા ચલાવતા ચાલકોને કાર્ડ બનાવી આપવામાં આવશે. ભરૂચ જિલ્લામાં નાના એકમોમાં કામ કરતાં લેબર વર્કર તેમજ જય ભારત ઓટોરિક્ષા એસોસિયેશન અને આરટીઓ કચેરીના ઉપક્રમે જિલ્લાના તમામ ઓટોરિક્ષા ચાલકો માટે આજે અને આવતીકાલે સવારે 10:00 વાગ્યે ઇશ્રમ કાર્ડ બનાવી આપવા માટેનું આયોજન ભરૂચ આરટીઓ અને લેબર કચેરીના અધિકારીઓની સાથે રાખીને કરવામાં આવ્યું છે તો આ તકે જે કોઈપણ ઓટોરિક્ષા ચાલકો હોય તેમને પોતાનું ઇશ્રમ કાર્ડ બનાવવા માટે ભરૂચ આરટીઓ અને જય ભારત ઓટોરિક્ષા અસોસિએશન દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાજ પટેલ અને ઉપપ્રમુખ આબિદ મિર્ઝા અને આરટીઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક ડિવાઈડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો : માલિક ટ્રક મૂકીને ફરાર.

ProudOfGujarat

ભરૂચમાંથી પસાર થતા એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનાર ખેડૂતોના વળતરનો મામલો, ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેસે તે પહેલા જ કરાઈ અટકાયત

ProudOfGujarat

ભરૂચ માં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી, ઈદ ગાહ ખાતે અદા કરાઈ ઈદ ની વિશેષ નમાજ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!