Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિયેશનના પ્રમુખ તરીકે ઝઘડિયાના નરેન્દ્રસિંહ પરમારની વરણી કરાઇ.

Share

ભરુચ જીલ્લા પંડિત દિનદયાલ ભંડાર (સસ્તા અનાજના દુકાનદારો) ની મીટીંગનું આયોજન ઝઘડિયા ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ભરુચ, અંકલેશ્વર, નેત્રંગ, વાગરા, આમોદ, જંબુસર, હાંસોટ,વાલિયા તેમજ ઝઘડિયાના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આગામી ટર્મ માટે એસોસિયેશનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બેઠકમાં જીલ્લાના દુકાનદારોને મુંઝવતા પ્રશ્નોની ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.

જીલ્લા સ્તરની કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના પ્રમુખ તરીકે ઝઘડિયા તાલુકાના સંગઠનના હાલના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે મુનાફભાઇ-વાગરા તેમજ મહામંત્રી તરીકે ભારસીગભાઇ વસાવાની નિમણુંક કરવામાં આવી હતી.જિલ્લાના તમામ તાલુકાઓના હોદ્દેદારોને કારોબારી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ખજાનચી તરીકે અંકલેશ્વરના સુભાષભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી. આગામી ૧૫ દિવસોમાંમાં જ દુકાનદારોના મુંઝવતા પ્રશ્નોની લેખિતમાં આવેદન આપીને રજુઆત કરવામાં આવશે.બેઠકમાં વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંક્લેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર ટેમ્પો- ટ્રક વચ્ચે અકસ્માતમાં ટેમ્પો ચાલકનું મોત

ProudOfGujarat

વડોદરામાં કોંગ્રેસ દ્વારા પાણી સહિતની અન્ય અસુવિધા અંગે વડાપ્રધાનને રજૂઆત કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

અમદાવાદ : સરળ બનશે ટ્રાન્સપોર્ટ – હવે મેટ્રો અને BRTS થી બહાર નિકળતા લોકોને મળશે ઈલેક્ટ્રીક સ્કૂટર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!