Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ સ્થિત હજરત પીર શાહુદ્દીન – બહાઉદ્દીન રહમતુલાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કબ્રસ્તાનમાં આવેલી સુપ્રસિધ્ધ હજરત પીર શાહુદ્દીન – બહાઉદ્દીન રહમતુલાહ અલયહે તેમજ પીર સુબ્હાનલ્લાહ રહમતુલાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. દર વર્ષે ઇસ્લામી માસ શાબાનની ૧૩ મી તારીખે સંદલ શરીફની વિધિ પરંપરાગત રીતે સંપન્ન કરવામાં આવે છે.

આ પ્રસંગે અસરની નમાઝ બાદ ઉપરોક્ત દરગાહ શરીફ પર દરગાહ કમિટી દ્વારા સંદલ શરીફ અદા કરવામાં આવ્યું હતું. દરગાહ કમિટી તેમજ અકીદતમંદો દ્વારા દરગાહ શરીફ પર ફૂલ ચાદરો અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સલાતો સલામનું પઠન કરવામાં આવ્યું હતું. સાથે સાથે દુઆ પણ ગુજારવામાં આવી હતી. સંદલ શરીફ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા ગામે યુવકના આત્મહત્યા કેસમાં નવો વળાંક

ProudOfGujarat

આમોદ નજીકથી વહેતી ઢાઢર નદીની સપાટી ઘટતા તંત્રએ હાશકારો લીધો.

ProudOfGujarat

સુરતના પાંડેસરામાં બંધ મકાનમાં આગ આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!