Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મધમાખી પાલન અંગે જાગૃતતા શિબિર યોજાઈ.

Share

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે મધમાખી પાલન પર એક દિવસીય જાગૃતતા શિબિર યોજવામાં આવેલી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર જગબિરસિંઘે અને કે.વિ.કે. ના વડા ડૉ. પી. ડી.વર્મા તેમજ ચીખલીના અગ્રણી ખેડૂત અશોકભાઈ હાજર રહ્યા હતાં. અશોકભાઈ કૂચી મધમાખીનું પાલન કેવી રીતે કરવું તેની માહિતી આપી તેમજ ડેમોનસ્ટ્રેશન કરીને બતાવ્યું હતું.

આ શિબિરમાં જુદા જુદા ગામમાંથી 100 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. અને બધા ખેડૂતોને એક – એક મધની બોટલ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. મીનાક્ષી તિવારી એ કર્યું હતું અને ખેડૂતોને મિલૅટ ખાવાનાં ફાયદા વિશે સમજાવ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાંં વધતા જતા કોરોના સંક્રમણને લઇને સહકાર મંત્રીનાં અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

ઝારખંડમાં કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં બહુમત હાંસલ કરી લેતા ભરૂચ જીલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા અને ફટાકડા ફોડી વિજયોત્સવની ઉજવણી કરી હતી.

ProudOfGujarat

મેઘરાજાએ રાજ્યને ઘમરોળ્યું, નવસારીમાં અનેક સ્થળે જળબંબાકારની સ્થિતી, અનેક ગામો સંપર્ક વિહોણા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!