Proud of Gujarat
FeaturedGujaratINDIA

હેલાંગમાં પર્વત પર ભૂસ્ખલન થતાં બદ્રીનાથ યાત્રા અટકી

Share

બદ્રીનાથ હાઈવે પર હેલાંગમાં પહાડો પરથી કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આ પછી પ્રશાસને બદ્રીનાથ યાત્રા અટકાવી દીધી છે. હાઈવે પર પડતો કાટમાળનો વીડિયો ભયાનક છે. પોલીસે બેરિયર લગાવીને બદ્રીનાથ જઈ રહેલા તીર્થયાત્રીઓને ગૌચર, કર્ણપ્રયાગ અને લંગાસુમાં સાવચેતી રૂપે પોતપોતાના સ્થળોએ રોકાઈ જવા જણાવ્યું છે.

બદ્રીનાથ હાઈવે પર પહાડ તૂટી પડવાનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. પહાડના કાટમાળના કારણે હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. હાઈવે બંધ થયા બાદ ઘણી જગ્યાએ મુસાફરી અટવાઈ ગયા છે. સૂત્રોનું માનીએ તો હજારો મુસાફરો રસ્તામાં ફસાયેલા છે. પ્રશાસને આ અંગે માહિતી આપી છે. સીઓ કર્ણપ્રયાગ અમિત કુમારે જણાવ્યું કે, “હેલાંગમાં બદ્રીનાથ રોડ ખુલ્યા બાદ મુસાફરોને જવા દેવામાં આવશે. ટ્રાફિક સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ છે, પોલીસે આ નિર્ણય લીધો છે.”

Advertisement

Share

Related posts

રાજપીપલા સંતોષ ચોકડી મહાકાલેશ્વર મંદિરના તાળા તૂટ્યા.

ProudOfGujarat

લીંબડી નજીક બોડીયા ગામના બ્રીજ પર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત નીપજ્યું.

ProudOfGujarat

ઝઘડિયા : દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!