Proud of Gujarat
FeaturedGujaratINDIA

હેલાંગમાં પર્વત પર ભૂસ્ખલન થતાં બદ્રીનાથ યાત્રા અટકી

Share

બદ્રીનાથ હાઈવે પર હેલાંગમાં પહાડો પરથી કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આ પછી પ્રશાસને બદ્રીનાથ યાત્રા અટકાવી દીધી છે. હાઈવે પર પડતો કાટમાળનો વીડિયો ભયાનક છે. પોલીસે બેરિયર લગાવીને બદ્રીનાથ જઈ રહેલા તીર્થયાત્રીઓને ગૌચર, કર્ણપ્રયાગ અને લંગાસુમાં સાવચેતી રૂપે પોતપોતાના સ્થળોએ રોકાઈ જવા જણાવ્યું છે.

બદ્રીનાથ હાઈવે પર પહાડ તૂટી પડવાનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. પહાડના કાટમાળના કારણે હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. હાઈવે બંધ થયા બાદ ઘણી જગ્યાએ મુસાફરી અટવાઈ ગયા છે. સૂત્રોનું માનીએ તો હજારો મુસાફરો રસ્તામાં ફસાયેલા છે. પ્રશાસને આ અંગે માહિતી આપી છે. સીઓ કર્ણપ્રયાગ અમિત કુમારે જણાવ્યું કે, “હેલાંગમાં બદ્રીનાથ રોડ ખુલ્યા બાદ મુસાફરોને જવા દેવામાં આવશે. ટ્રાફિક સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ છે, પોલીસે આ નિર્ણય લીધો છે.”

Advertisement

Share

Related posts

ઝગડિયા તાલુકાના બોરીદ્રા ગામ ની હદ માં પેકેટમાં રહસ્યમય કેમિકલ અથવા પદાર્થ ક્યો તે ખુલાસો કોણ અને ક્યારે કરશે

ProudOfGujarat

ભરૂચ : જમાત એ ઉલેમા એ હિંદ, દારૂલ ઉલૂમ દેવબંદ અને તબલિગી જમાત પર પ્રતિબંધ મૂકવા અંગે આવેદન પાઠવાયું.

ProudOfGujarat

લુવારા પાટીયા પાસે ટોયટા ગાડી અને ડમ્ફર વચ્ચે અક્સ્માત થતા પાંચ વ્યક્તિઓને ઈજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!