Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફ્રી શીપ કાર્ડ આપવા બાબતે આદીજાતિ વિકાસ મંત્રીને રજૂઆત કરી

Share

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફ્રી શીપ કાર્ડ આપવા બાબતે આદીજાતિ વિકાસ મંત્રીને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ કોલેજો અને મેડિકલમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ હોય, જેથી સત્વરે ફી શીપ કાર્ડઇસ્યુ કરવાની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી છે.

તેમણે લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ભારત સરકાર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના તથા વી.કે.વાય-૬ વધુ આવક વાળી કન્યાઓને રાજ્ય સરકારની પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ પોસ્ટમેટ્રિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને બંને યોજના હેઠળ સબંધિત જિલ્લા અધિકારી ઓ દ્વારા હાલ ફ્રીશીપ કાર્ડ આપવામાં આવતા હતા. પરંતુ નિયામક,આદિજાતિ વિકાસના ૨૦૨૩-૨૪/૩૨૮ થી ૩૪૬ તારીખ: ૦૧/૦૬/૨૦૨૩ ના પત્રથી અમલીકરણ બાબતે આદિજાતી વિકાસ વિભાગનું માર્ગદર્શન અને ગાઈડલાઈન વિચારણા હેઠળ હોય જણાવી, સંબધીત જિલ્લા અધિકારીઓ દ્વારા અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંગેની ઉક્ત બંને યોજનાઓ અંતર્ગત ફીશીપ કાર્ડ ઇસ્યુ કરવાના નથી તેવું જણાવેલ છે. જેના કારણે પોસ્ટ મેટ્રિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થીનીઓની તથા વાલીઓની અનેક રજુઆતો અમારા સમક્ષ આવેલ છે. તેમજ હાલમાં કોલેજો અને મેડિકલમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ હોય, જેથી સત્વરે ફી શીપ કાર્ડ ઇસ્યુ કરવાની કાર્યવાહી શરૂ કરવામાંની માંગ કરી છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસદ મનસુખભાઇ વસાવાએ આદિવાઓના સર્વાંગીણ વિકાસ માં સહકાર અને વિકાસમા અવરોધ ઉભા કરનાર સામે અવાજ ઉઠાવ્યો

ProudOfGujarat

પત્રકાર એકતા સંગઠન– ગુજરાત ભરૂચ જિલ્લાનું સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ માહિતી વિભાગ કચેરી ખાતે યોજાયો

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ના લોકાર્પણ કાર્યક્રમ પહેલા જ બેનરોને કેટલાક ભાંગફોડીયા તત્વોએ ફાડી કાઢતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા થકી લોકોને આવા તત્વોથી દૂર રહેવા કરી અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!