Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની જનતાના મતો મેળવી ભારતીય જનતા પાર્ટીએ ભરૂચને કર્યો અન્યાય : સંદીપ માંગરોલા

Share

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી સંદીપ માંગરોલા એ એક પ્રેસનોટ દ્વારા ભરૂચને અન્યાય થયો હોવાનો ગંભીર આરોપ ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવ્યો છે.

ગઇકાલે કેબિનેટમાં ગુજરાત સરકારે પાંચ નાના શહેરોને કોર્પોરેશનનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. જેમાં ભરૂચનો સમાવેશ ન થતાં ભરૂચ સાથે અન્યાય થયો છે. ભાજપના નેતાઓ દ્વારા ભરૂચ-અંકલેશ્વર ટવીન સિટી બનાવવાના સપનાઓ બતાવી મતો મેળવી અને ભરૂચને કોર્પોરેશનનો દરજ્જો અપાવવામાં વામણા પુરવાર થયા છે. ભરૂચથી નાના શહેરોને પણ કોર્પોરેશનનો દરજ્જો મળી ગયો છે. જયારે ભરૂચ ત્યાનું ત્યાં જ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા એ ભરૂચની જનતાને અવાજ બુલંદ કરવાનું આહ્વાન કરી જન આંદોલન ઊભું કરવાની હાંકલ કરી છે અને જનતાના સહકારથી જન આંદોલનનું નેતૃત્વ કોંગ્રેસ પાર્ટી જરૂર કરશે તેમ જણાવી આગામી દિવસોમાં સોશિયલ મીડિયા, ઈમેલ તેમજ પોસ્ટ કાર્ડ દ્વારા જન આંદોલન ઊભું કરી જનજાગૃતિ લાવી ભરૂચને કોર્પોરેશનનો દરજ્જો અપાવવાની માંગણી સરકાર સામે કરશે. ભરૂચના વિકાસનું સપનું જોતાં તમામ સંગઠનો એ આ મુદ્દા પર એકમત થઈ આગળ આવવા માટે પણ સંદીપ માંગરોલા એ અપીલ કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકામાં પ્રજાનાં રૂપિયાનો થયો વેડફાટ ? જાણો વધુ…

ProudOfGujarat

રાજપીપલા અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે “વિશ્વાસથી વિકાસ યાત્રા” નો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભારતના પ્રજ્ઞાનાનંદાનો ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં શાનદાર પ્રવેશ, વિશ્વના ત્રીજા ક્રમાંકિત ખેલાડીને હરાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!