Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીનો વિવાદ ફરી એકવાર હાઈકોર્ટમાં પહોંચતા કેજરીવાલ તરફથી જાણો શું થઈ રજૂઆત

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીનો વિવાદ ફરી એકવાર હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કેજરીવાલની સમીક્ષા અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી વતી હાઇકોર્ટમાં જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની રિવ્યુ પિટિશનની સંક્ષિપ્તમાં સુનાવણી કરી અને પછી આ મામલાને અંતિમ સુનાવણી માટે આગળ ધપાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત વિવાદને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સમીક્ષા અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોર્ટની સુનાવણી દરમિયાન, ગુજરાત યુનિવર્સિટીના જવાબમાં અરવિંદ કેજરીવાલના વકીલો વતી જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં અરવિંદ કેજરીવાલના વકીલોએ ગુજરાત યુનિવર્સિટીના જવાબ પર પોતાના જવાબો આપ્યા છે. હાઈકોર્ટે અંતિમ સુનાવણીની તારીખ નક્કી કરવા કહ્યું અને પછી સુનાવણી વધુ મુલતવી રાખી.

Advertisement

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના તે નિર્ણય પર સમીક્ષા અરજી દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના 2016ના આદેશને રદ કર્યો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

કોર્ટે અરવિંદ કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમની સમીક્ષા અરજીમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. અરવિંદ કેજરીવાલની સમીક્ષા અરજી સ્વીકારીને કોર્ટે સુનાવણી માટે 30 જૂનની તારીખ નક્કી કરી હતી.

હાઈકોર્ટમાં કેજરીવાલની રિવ્યુ પિટિશન પર ગુજરાત યુનિવર્સિટીને નોટિસ ફટકારવામાં આવી હતી. આ અંગે યુનિવર્સિટીએ પોતાનો પક્ષ રજૂ કરી જવાબ દાખલ કર્યો હતો. અરવિંદ કેજરીવાલના વકીલોએ યુનિવર્સીટી તરફથી જવાબનો જવાબ આપ્યો છે અને તેમના તથ્યો અને દલીલો રજૂ કરી છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવે આ મામલાની અંતિમ સુનાવણી આ મહિને કરવા કહ્યું છે. આ મામલામાં આગામી સુનાવણી 14 અથવા 21 જુલાઈએ થઈ શકે છે. હાઈકોર્ટ દ્વારા ટૂંક સમયમાં તારીખ નક્કી કરવામાં આવશે.


Share

Related posts

વિશ્વ ચકલી દિવસે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાનો અનોખો ઉપક્રમ: પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ

ProudOfGujarat

ભરૂચ : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતાં આયોજનબદ્ધ રીતે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના આમોદમાંથી ચોર ગઠીયા રાત્રીના સમયે ઇકો ગાડી ઉઠાવી ગયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!