Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાની પ્રાથમિક શાળા રઝલવાડાના શિક્ષકને પી. એચ. ડી. ડિગ્રી એનાયત કરાઈ.

Share

ઝગડિયા ગામના રહેવાસી પરમાર રીતેશકુમાર ડાહ્યાભાઈ, હાલ તેઓ પ્રાથમિક શાળા રઝલવાડા ખાતે આ.શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓએ શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ભરુચના ભૂતપૂર્વ વિભાગાધ્યક્ષ પ્રોફેસર ડૉ. વીણાબેન વી. ઠક્કર તથા સહ-માર્ગદર્શિકા ડૉ. મયૂરીબેન ભાટિયા, સંસ્કૃત વિભાગ, ભાષાભવન, અમદાવાદના માર્ગદર્શનમાં આર્ટ્સ વિભાગના સંસ્કૃત વિષયમાં ‘राधाचरितम्’ की काव्यशास्त्रीय मीमांसा વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પ્રસ્તુત કર્યો હતો. જે મહાશોધ નિબંધને માન્ય રાખી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા પરમાર રીતેશકુમાર ડાહ્યાભાઈને PH.D ની પદવી એનાયત કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં બુટલેગરની પાસા એક્ટ હેઠળ અટકાયત.

ProudOfGujarat

ભરૂચનાં અંબાજી મંદિરમાં ભકતોની લાગી કતારો… જાણો વધુ.

ProudOfGujarat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વરજાખણ મુકામે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!