Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદની સૂરજબા મહિલા આર્ટસ કોલેજની બહેનોએ ગાંધી સંસ્થાઓની સફાઈવંદના કરી

Share

મહાત્મા ગાંધીજી માટે નડિયાદ શહેરમાં અનેકવાર નિવાસસ્થાન બનેલા હિંદુ અનાથ આશ્રમની સફાઈ કોલેજની બહેનોએ વહેલી સવારથી શરુ કરી. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો ઉપર આવેલા સરદાર,ગાંધી,આંબેડકર, ઈન્દુચાચા અને ગોર્વધનરામ ત્રિપાઠી વગેરેની પ્રતિમાઓ(પૂતળાઓ)ની પણ સફાઈ વંદના કરી. ત્યારબાદ આ બહેનોએ વિઠ્ઠલકન્યા વિદ્યાલય ખાતે સરદાર સાહેબના ગુરુબંધુ વિઠ્ઠલભાઈ પટેલના સ્ટેચ્યુની પણ સફાઈવંદના કરી. કોલેજના એન એસ એસ, એન સી સી સ્પોર્ટ્સ  અને સ્ટુડન્ટ યુનિયન ની ૧૦૦થી વધુ બહેનોએ બીજી ઓક્ટોબરની ગાંધી જયંતિની પૂર્વ સવારે સ્વછતા હી સેવા યોજના અંતર્ગત આ વિશિષ્ટ સફાઈવંદના કરી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરમાં ઐતિહાસિક રામમહેલ મંદિર થી અષાઢી બીજ ના દિવસે યોજાનાર ભગવાન જગન્નાથ ની 36 મી રથયાત્રા ની તડામાર તૈયારીઓ.

ProudOfGujarat

ગુજરાત સાયન્સ સિટીમાં એપ ડેવલપર્સનો પ્રારંભ, ગૂગલના નિષ્ણાંતો એપ ડેવલપર્સને આપશે તાલીમ

ProudOfGujarat

ભરૂચ : કોરોનાનાં કારણે મેધરાજાનો મેળો અને છડીયાત્રાનાં કાર્યક્રમો રદ, ભકતો મેધરાજાનાં ઓનલાઈન દર્શન કરી શકશે જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!