ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર ચાલતા સજા પામેલ આરોપીને એસ.ઓ.જી. ભરૂચની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપનસિંહ અને પોલીસ અધિક્ષક અક્ષય રાજ ના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને પકડવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી.
આ દરમિયાન પો.ઇન્સ્પેક્ટર એ.વી. પાણમીયા ની આગેવાની હેઠળ એસ.ઓ.જી. ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
પકડાયેલ આરોપી પ્રતિક યોગેશકુમાર ખત્રી પ્રતિક યોગેશકુમાર ખત્રી રહે. નાગ ગલી, ઉમિયા માતાના મંદિર સામે, દાંડીયા બજાર, ભરૂચનો રહેવાસી છે. તેની સામે વર્ષ 2018ના ક્રિમિનલ કેસ નંબર 1840/2018 અંતર્ગત Negotiable Instruments Act કલમ 138 હેઠળ ગુનો નોંધાયો હતો.
કોર્ટ દ્વારા આરોપીને છ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે સજા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો. અંતે એસ.ઓ.જી. ભરૂચની ટીમે આરોપીને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
આ કામગીરીમાં ASI નરેન્દ્રભાઈ જુલાલભાઈ અને HC શિવાંગસિંહ પ્રતાપસિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. SOG ભરૂચની આ કામગીરીથી લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવામાં પોલીસની સતર્કતા ફરી એકવાર સાબિત થઈ છે.
