ભરૂચ શહેરના લિંકરોડ પર આવેલી પુષ્પધન બંગ્લોઝ ખાતે રહેતાં વિરાગ રાજેશ દેસાઈ છેલ્લા ૧૮ વર્ષથી દહેજમાં લખીગામ ખાતે આવેલી ટોરેન્ટ પાવર લીમી. કંપનીમાં આસિ. મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત ૨૭મી જૂલાઈએ તેઓ નોકરીએ ગયાં ત્યારે તેમના મેનેજર રજનીકાંત ભારતીયાએ તેમને ફોન કરી કંપનીમાંથી કેબલોની ચોરી થઈ હોવાનું જણાવતાં તેઓ તુરંત તેમના વેરહાઉસ ખાતે દોડી ગયાં હતાં.તેમણે તપાસ કરતાં તેમના વેરહાઉસનું તાળું તુટેલું હોવાનું જણાયું હતું. ઉપરાતં તેમની સાથેના સુપરવાઈઝરે જણાવ્યું હતુ કે, કંપનની પૂર્વ બાજૂની દિવાલ પાસે એક કોપર કેબલનું ખાલી ડ્રમ પડેલ છે. જેથી તેમણે અંદર જઈ તમામ સામાનની તપાસ કરતાં અંદરથી ૨૬ જૂલાઈના રાત્રીના ૧૦ વાગ્યાથી ૨૭ જૂલાઈના સવારના ૯ વાગ્યા સુધીના ગાળામાં તેમના વેરહાઉસનું કોઈ તસ્કર ટોળકીએ તાળું તોડીતેમાંથી ૩.૮૦ લાખની મત્તાનો કોપર કેબલ ચોરી કરી રફુચક્કર થઈ ગયાં હતાં. ઘટનાને પગલે તેમણે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
