ભરૂચ :
ભારતીય જનતા યુવા મોરચા, ભરૂચ જિલ્લા દ્વારા રાષ્ટ્રભક્તિ, શ્રદ્ધા અને સંકલ્પના સંદેશ સાથે વડનગરથી કાશી સુધી બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં જોડાવા ભરૂચ જિલ્લા યુવા મોરચાના કાર્યકરો વડનગર જવા રવાના થશે.
યાત્રા સંદર્ભે ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય, પાંચબત્તી ખાતે તા. 16 સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 કલાકે વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા મહામંત્રી પરેશભાઈ પટેલ, જિજ્ઞેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ સહિત શહેર-જિલ્લા સંગઠનના હોદ્દેદારો, મોરચાના પદાધિકારીઓ તેમજ ધારાસભ્ય રમેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી બાઈક યાત્રામાં જોડાનારા કાર્યકરોને વિદાય આપશે.
વડનગરથી કાશી સુધીની આ બાઈક યાત્રા દ્વારા રાષ્ટ્રભક્તિ, સંગઠન શક્તિ અને સંકલ્પનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. યાત્રાને લઈને યુવા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
