Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની શ્રીજી વિદ્યાલય ખાતે અવરનેશ પ્રોગ્રામ યોજાયો

Share

આજરોજ તારીખ 18/10/2023 ના રોજ એ એચ ટી યુ ના પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ વસાવા સાહેબની સૂચના મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શ્રીજી વિદ્યાલય સામ્રાજ્ય સોસાયટી અંકલેશ્વર ખાતે એ એચ ટી યુ દ્વારા એક અવરનેશ પ્રોગ્રામ રાખ્યો હતો તેમાં શાળાના વિદ્યાર્થીઓ તથા આચાર્ય આશિષભાઈ તથા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન તથા માજી ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની તથા શાળાના શિક્ષક ગણ અને 400 થી ઉપર બાળકો હાજર રહી બાળકોમાં અપહરણ, માનવ તસ્કરીના કેસો, બાળમજૂરી, લોભ લાલચથી દૂર રહેવું તથા એક તરફી પ્રેમમા ફસાવું નહીં કોઈ કેફી દ્રવ્ય ન લેવું મોબાઈલથી તથા ઇન્સ્ટાગ્રામથી દૂર રહેવું તથા નાની ઉંમરમાં વાહન ન ચલાવવા ટ્રાફિકનું જ્ઞાન આપ્યું તથા મા-બાપને વફાદાર રહી શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવું તેવી સમજણ આપવામાં આવી જેમાં પો. ઇન્સ. એન એસ વસાવા તથા એ એસ આઈ કનકસિંહ ગઢવી તથા તૃપ્તિબેન જાનીએ હાજર રહી સરળ ભાષામાં સમજાવી કાર્યક્રમને સફળ બનાવ્યો.

Advertisement

Share

Related posts

ભરૂચ-ખેતરમાં કામ કરતા મજૂરો સામે અચાનક દીપડો આવી પહોંચ્યો પછી શું થયું જાણો ?

ProudOfGujarat

ગોધરા : જાફરાબાદ આંગણવાડી ખાતે બાળકોને ફળ વિતરણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરના સંજાલી ખાતેના શોપિંગ કોમ્પલેક્ષના ધાબા પરથી પટકાયેલ 30 વર્ષીય યુવકનું મોત, જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!