પાંચ વર્ષના બાળકે નર્મદા પરિક્રમા પૂર્ણ કરી
નર્મદા.
Advertisement
૧૮ કિમી નું અંતર કાપી
પાંચ વર્ષના હર્ષરાજ સિંહ ગોહિલે પરિક્રમા વાસીઓમાં આકર્ષણ જમાવ્યું હતું.

ગોપાલપુરા ગામના ૫ વર્ષના નાનકડા બાલક હર્ષરાજસિંહ મહિપાલસિંહ ગોહિલ એ નર્મદા માઇની ઉત્તરવાહિની પરિક્રમાના કુલ ૧૮ કિમીના પગપાળા માર્ગને પૂર્ણ કર્યો છે.
પંચવર્ષીય વયે આ પ્રકારની આધ્યાત્મિક યાત્રા પૂર્ણ કરવી એ ગામ માટે ગૌરવની વાત છે. નાના ઉમરે પોતે ઘનશ્રદ્ધા, આત્મવિશ્વાસ અને નિષ્ઠા દર્શાવીને પવિત્ર નર્મદામાના આશીર્વાદ મેળવ્યા છે.
ગોહિલ પરિવારને હાર્દિક અભિનંદન તથા હર્ષરાજસિંહને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.
