Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIA

આમોદ ટાઉનમાં શનિવારે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે

Share

ભરૂચ.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના આમોદ પેટા વિભાગીય કચેરી દ્વારા 11 કેવી આમોદ ટાઉન ફીડર પર શનિવારે અગત્યનું સમારકામ શરૂ કરવામાં આવનાર છે. જેના પગલે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી આમોદ ટાઉન વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જે અંગે વીજ કંપની દ્વારા આમોદ શહેરના રહિશોને જાણ કરવામાં આવી છે.

Advertisement

 

અત્રે ઉલ્લખનિય છે કે, સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેવાને કારણે લોકોને કાળઝાર ગરમીમાં શેકાવાનો વારો આવશે. સમારકામ પુર્ણ થયેથી વીજ પુરવઠો પુન: રાબેતામુજબ શરૂ કરી દેવામાં આવશે.


Share

Related posts

ભરૂચનાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર રાત્રિનાં સમયે ટ્રક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થતાં ટેમ્પો ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ProudOfGujarat

ડેડીયાપાડામાં બેંક ઓફ બરોડાનું નેટવર્ક ન હોવાથી અનેક ખાતેદારોને હાલાકી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના શેડો એરિયાના તમામ ૧૦૩ જેટલા મતદાન કેન્દ્રો ખાતે વાયરલેસ અને વોકીટોકી સેટ સાથેનાં સ્ટાફને ડેમોન્સ્ટ્રેશન માટે કરાયાં તૈનાત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!