Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા બ્રીજ પર રીક્ષા પલટી જતાં ચાલક-મુસાફરને ઇજા

Share

જૂના બોરભાઠાની મહિલા શાકભાજી લઇ ભરૂચ આવતી હતી

ભરૂચ

Advertisement

અંક્લેશ્વર તાલુકાના જૂના બોરભાઠાના નિશાળ ફળિયામાં રહેતી અંબાબેન રમેશ પટેલ ભરૂચમાં શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. આજે સવારે તેમની વાડીમાંથી શાકભાજી લઇ ગામના જ પરસોત્તમ મગન પટેલની રીક્ષામાં નિત્યક્રમ મુજબ ભરૂચ આવવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં રિક્ષા ચાલક પરસોત્તમ નર્મદા મૈયાબ્રિજ પરથી ભરૂચ આવી શિતલ સર્કલ તરફ નીચે ઉતરી રહ્યાં હતાં. તે વેળાં તેમની સામે એક બાઇક ચાલક આવી જતાં તેમણે અચાનક બ્રેક મારતાં રિક્ષા પલટી ગઇ હતી. અકસ્માતમાં બન્નેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે તેમણે સી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર : ઇદે મિલાદુન્નબી તહેવારની સાદગીથી ઉજવણી કરાઈ.

ProudOfGujarat

સ્વીડનની બે યુવતીઓ ઊંટ ગાડી પર પુષ્કરથી 700 કિમીનું અંતર કાપી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી.

ProudOfGujarat

વાલિયાના વટારીયા ખાતે આવેલ શ્રોફ એસ.આર.રોટરી ઇન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેકનોલોજી ખાતે બે દિવસીય સ્કેમકોન -2019નું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!