Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ હાઇવે પર અજાણ્યા કારની ટક્કરે બાઇક સવાર બે પૈકી એકનું મોત, એક ગંભીર

Share

અસુરિયા પાટિયા પાસે અકસ્માત સર્જાયો
બન્ને કોસંબાથી નારેશ્વર જઇ રહ્યાં હતાં
ભરૂચ.
સુરતના ઉધના ખાતે રહેતાં પ્રશાંત બેલદારના પિતા ઉમેશ જગન્નાથ બેલદાર તેમના સુપરવાઇઝર મિત્રની બાઇક લઇને કોસંબા નાયરા કંપનીની સાઇટ પર કામ અર્થે  જવા ઘરેથી સવારે 9 વાગ્યે નિકળી ગયાં હતાં. બપોરના અઢી વાગ્યાના અરસામાં તેમને તેમના પિતા સાથેના અમરત ઉમેરજી ઠાકોરે ફોન કરી જણાવ્યું હતું કે, તેઓ અને તેમના પિતા બાઇક પર કામ અર્થે નારેેશ્વર જવા માાટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં તેઓ ભરૂચ-વડોદરા વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં અસુરિયા પાટિયા પાસે આવેલી શીતલ હોટલ પાસે એક કારના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની કાર હંકારી લાવી તેમને ટક્કર મારતાં બન્નેને ઇજાઓ થઇ હતી. આસપાસના લોકોએ દોડી આવી તેમેન સારવાર માટે ભરૂચ સિવિલ્ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબે તપાસ કરતાં તેમના પિતા ઉમેશ બેલદારનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. ઘટના અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી ફરાર થઇ ગયેલાં આરોપીને શોધવાની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

અંકલેશ્વર : RMPS ઇન્ટર નેશનલ સ્કુલનો ત્રીજો વાર્ષિકોત્સવ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : બી.પી.એલ કાર્ડ ધારકોને સસ્તુ અનાજ ન મળતા જયભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદારને રજૂઆત.

ProudOfGujarat

મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે, સુરતી લાલા મન મુકીને ગરબે ઘૂમ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!