ભરૂચ.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે G J O 6 PC 3184નંબરની ઇકો કારના ચાલક કોઈ કારણોસર તવરા ગામે તેઓના સંબંધીને મળવા આવ્યા હતા

કાર ચાલકે જુના તવરા સત્યનારાયણ ભગવાનના મંદિર પાસે મુખ્ય રોડ પરથી ઈકો કારનું સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી નર્મદા નદી કિનારે ઉતારી ગઇ હતી. ઘટનાની જાણ તવરા ગામના સરપંચ જાગૃતી પરમાર ને થતા ઘટના સ્થળ પર તેમના પતિ પૃથ્વીરાજસિંહ તથા વોર્ડ સભ્ય અલ્કેશ સહિત ગામના જાગૃત નાગરિકો દોડી આવ્યાં હતાં.તેઓ દ્વારા ઈકો કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી જોકે સદનસીબે કોઈ જ પ્રકારની જાનહાની થવા પામી ન હતી
