Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાની વિલાયત ચોકડી ખાતે યુવા કોંગ્રેસના રસ્તા રોકો આંદોલનમાં 18 કોંગી આગેવાનોની અટકાયત

Share

ભરૂચ.

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા દેરોલથી વિલાયત સુધીના બિસ્માર માર્ગને લઈને ગુરૂવારે વિલાયત ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલન કરાયું.

Advertisement

ભરૂચ જિલ્લામાં બિસ્માર માર્ગોના સમારકામને લઈ કોંગ્રેસ દ્વારા અગાઉ નેત્રંગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ ભરૂચ કાર્યપાલક ઈજનેરને રજુઆત કરવામાં આવી હતી. તે સમયે અધિકારીએ દિન 7માં બિસ્માર માર્ગોના સમારકામની બાંહેધરી આપી હતી, પરંતુ
વારંવાર R & B અધિકારીઓ યોગ્ય ધ્યાન નહીં આપતા આજરોજ પૂર્વ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ અને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ, જાબીર પટેલ, અક્ષયસિંહ રાજ સહિતના કોંગ્રેસીઓએ વિલાયત ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું. તાત્કાલિક દેરોલથી વિલાયત સુધી, વાલિયા-અંકલેશ્વર માર્ગ તેમજ જંબુસર રોડ સહિત અન્ય બિસ્માર માર્ગોની મરામતની માંગ કરી. જો સમારકામ નહિ કરાઈ તો ભરૂચ-અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગની કચેરીઓને તાળાં બંધીની ચીમકી ઉચ્ચારી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા 18 જેટલા કોંગી આગેવાનોની વાગરા પોલીસે અટકાયત કરી હતી.


Share

Related posts

સુરેન્દ્રનગરમાં સ્કુલ ફી નાં મુદ્દે કોંગ્રેસે કલેકટર કચેરીએ ઉગ્ર પ્રદર્શન સાથે રજુઆત કરી.

ProudOfGujarat

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ ઓવરલોડ વાહનો બાબતે મામલતદારને ખખડાવ્યા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના મંગલેશ્વર(કબીરવડ) ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!