Proud of Gujarat
bharuchCrime & scandaldharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જીવનની દશા સુધારવા દશ દિવસ દશામાની પૂજા, હવે મા દશામાની જ દુર્દશા

Share

ભરૂચ.
ભરૂચ શહેર જિલ્લામાં હાલમાં જ દશામાનો તહેવાર ભારે ભક્તિમય માહોલમાં પૂર્ણ થયો છે. એક તરફ મા દશામામાં આસ્થા ધરાવતાં લોકોએ 10 દિવસ સુધી માતાની આરાધના કરી હતી. પોતાની સુખ, શાંતી અને પ્રગતિ સહિત દરેક લોકોનું સારૂ કરવા માતાજીને પ્રાર્થના કરી હતી. દશ દિવસના આતિથ્ય બાદ શનિવારે રાત્રે માતાજીને નર્મદા નદીમાં વિસર્જિત કરીને લોકોને તેમને ભાવભીનિ વિદાય આપી હતી. માતાજીના વિસર્જન વેળાં નર્મદા નદીમાં પાણીનો આવરો વધું હોવાથી જળસપાટી વધુ હતી. જોકે, હવે પાણી ઓસરતાં હિન્દુઓ અને મા દશામામાં આસ્થા ધરાવતાં લોકોની લાગણી દૂભાય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. નર્મદા કિનારે નદીમાંથી બહાર ખેંચાઇ આવેલી મા દશામાની પ્રતિમાઓની દુર્દશા જોઇને ભક્તોની લાગણી દૂભાઇ હતી.

Share

Related posts

ભરૂચ : નબીપુર ગામે નવીનગરીમાં ગૌ-વંશોનું કતલ કરતા ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ગુજરાતી ન્યૂઝ ગુજરાત રાત્રી કરફ્યૂમાં રાજ્ય સરકારે આપી છૂટછાટ : ગણેશોત્સવ અંગે લેવામાં આવ્યો આ નિર્ણય.

ProudOfGujarat

ઉમલ્લાની શાળામાંથી ચોરાયેલ ૫ કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સાધનોની ચોરીનો ભેદ ઉકેલાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!