Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર: સરસ્વતી વિદ્યાલયમાં આગની ઘટના, દબાણના કારણે ફાયર ટેન્ડર પહોંચ્યું નહીં

Share

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી પુષ્પ વાટિકા સોસાયટીમાં આવેલ સરસ્વતી વિદ્યાલયમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના શાળા બંધ થયા બાદ એક કલાક પછી બની હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી.શાળાના સ્ટાફે તાત્કાલિકથી કાર્યવાહી કરતાં ફાયર બોટલ અને પાણીથી  આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. જોકે, આગના સ્થળ સુધી ફાયર ટેન્ડર પહોંચવામાં મુશ્કેલી થઈ હતી કારણકે સોસાયટીમાં દબાણના કારણે ફાયર વાહન માટે પ્રવેશ શક્ય બની ન હતો.આ દબાણ સામે અગાઉથી શંકા વ્યકત થતી હોવા છતાં સ્થાનિક પંચાયત દ્વારા કોઇ યોગ્ય પગલા ન લેવાતા, આવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.

Share

Related posts

આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આઇટીઆઈ ડાયનેમિક બોન્ડ ફંડની રજૂઆત.

ProudOfGujarat

દેશમાં દર વર્ષે 26 નવેમ્બરે શા માટે ઉજવવામાં આવે છે બંધારણ દિવસ, જાણો.

ProudOfGujarat

કેવડિયામાં ફરી ભૂકંપ આવ્યો : કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 34 કિમી દૂર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!