Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર: સરસ્વતી વિદ્યાલયમાં આગની ઘટના, દબાણના કારણે ફાયર ટેન્ડર પહોંચ્યું નહીં

Share

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી પુષ્પ વાટિકા સોસાયટીમાં આવેલ સરસ્વતી વિદ્યાલયમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના શાળા બંધ થયા બાદ એક કલાક પછી બની હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી.શાળાના સ્ટાફે તાત્કાલિકથી કાર્યવાહી કરતાં ફાયર બોટલ અને પાણીથી  આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. જોકે, આગના સ્થળ સુધી ફાયર ટેન્ડર પહોંચવામાં મુશ્કેલી થઈ હતી કારણકે સોસાયટીમાં દબાણના કારણે ફાયર વાહન માટે પ્રવેશ શક્ય બની ન હતો.આ દબાણ સામે અગાઉથી શંકા વ્યકત થતી હોવા છતાં સ્થાનિક પંચાયત દ્વારા કોઇ યોગ્ય પગલા ન લેવાતા, આવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.

Share

Related posts

સુરત : ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે રૂપિયા ઉઘરાણી કરતા વિવાદ વકર્યો, ગુજરાત પ્રદેશ મહામંત્રી દર્શન નાયકએ સ્થળ મુલાકાત કરી

ProudOfGujarat

વડોદરાના બાપોદ વિસ્તારમાં પંચરની દુકાનની આડમાં ગાંજો વેચતો ઈસમ પકડાયો

ProudOfGujarat

ભરૂચ ઇનરવિલ ક્લબ અને પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગ દ્વારા ક્રિસમસ અને સાયકલ ઇવેન્ટ યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!