Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

તમારા સીસીટીવી કેમેરાના એંગલ અમારા ઘર તરફ કેમ રાખ્યા છે કહેતાં ત્રણ જણાનો દપતિ પર હુમલો

Share

 

ભરૂચના શુક્લતીર્થ ગામે ગણેશવિહાર સોસાયટીની ઘટના

Advertisement

ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલી ગણેશ વિહાર સોસાયટીમાં રહેતાં મેહુલસિંહ મહેન્દ્રસિંહ પરમાર તેમની પત્ની તેમજ બે સંતાનો સાથે રહે છે. દરમિયાનમાં તેમની સોસાયટીમાં રહેતાં સુધાબેન નાગજી ઠાકોરે તેમના ઘરે સીસીટીવી કેમેરા લગાવ્યાં હતાં જોકે, એક કેમેરાનો એંગલ મેહુલસિંહના ઘર તરફ હોવાનું લાગતાં તેમની પત્ની હિનાબેનને શંકા હોઇ દંપતિ સુધાબેનને તે બાબતે જાણ કરી તેમને તેમના સીસીટીવી કેમેરાના એંગલ તેમના ઘર પુરતા રાખવા કહેતાં તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. દરમિયાનમાં તેમનો પુત્ર કર્તવ્ય ઠાકોર તેમજ દિશાંત ઠાકરો ત્યાં આવ પહોંચ્યાં હતાં. જેથી તેમણે તેમને પણ સીસીટીવી કેમેરાના એંગલ બાબતે કહેવા જતાં તેઓ ઉશ્કેરાઇ ગયાં હતાં. તેઓએ મળી દંપતિ પર હુમલો કરી તેમને ઇજાઓ પહોચાડી હતી. અરસામાં આસપાસના લોકોએ દોડી આવી તેમન છુટાં પાડ્યાં હતાં. જોકે, જતાં જતાં કર્તવ્ય તેમજ દિશાંત તથા તેમની માતાએ તેમને આ વખત તો તમને જવા દઇએ છીએ બીજી વાર જો સામે આવ્યા છો તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી છે.


Share

Related posts

છોટાઉદેપુરમાં પાડોશીએ તીર વડે હુમલો કરતાં ઇજાગ્રસ્તની ત્રણ કલાક બાદ સર્જરી સફળ રહી

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના હજાત ગામની સીમમાંથી આવેલ ભરૂડી માતાજીના મંદિર નજીક જુગાર રમતા બે જુગારિયાઓને રૂરલ પોલીસે ઝડપી પાડ્યા હતા જયારે અન્ય બે જુગારિયા ફરાર થઇ ગયા હતા .

ProudOfGujarat

ભરૂચ : ધાર્મિકતા સાથે નોકરીની નિષ્ઠા, રોઝા રાખી ફરજ પર જ નમાજ અદા કરતા ભરૂચનાં મુસ્લિમ પોલીસ કર્મીઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!