Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની અયોધ્યાનગર પાણીની ટાંકી પાસે ખુલ્લી જગ્યામાં આગ

Share

ભરૂચ

ભરૂચ શહેર-જિલ્લા સહિત રાજ્યભરમાં હવે કોઈ પણ તહેવાર જાણે ફટાકડાં ફોડવા સિવાય પુરો થતો નથી. ઉત્તરાયણના પર્વે સાંજના સમયે જેમ જેમ અંધારું થતું જાય તેમ તેમ ધાબા પર કટકાડાં છોડીને પતંગરસીકો આકાશી ફટકાડા ફોડીને તહેવાર ઉજવતાં હોય છે.રાત્રીના સમયે ચારેય દિશામાં આતિયભાજીઓ જોવા મળતી હોય છે. ત્યારે આતિષબાજીના કારણે કચારે ક્યારેક આગ લાગવાની ઘટના પણ બનતી હોય છે. ત્યારે ભરૂચમાં ઉત્તરાયણના દિવસે ઢળતી સાંજે શહેરના અયોધ્યાનગર પાસે આવેલી પાણીની ટાંકી પાસે અચાનક ધૂમાડાં ઉઠવા લાગ્યાં હતાં. જે બાદ આગ ભામુકી હતી. આગે જોતજોતામાં મોટું સ્વરૂપ લઈ લીધું હતું. ઘટના અંગે ભરૂચ નગર પાલિકાના લાશ્કરોને જાણ કરાતાં ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી. આગ ખુલ્લા મેદાનમાં આવેલાં ઘાસચારામાં લાગી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું ટીમે તુરંત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનશીકે ઘટનામાં કોઈને જાનહાની થઈ ન હતી.

Advertisement

Share

Related posts

ભરૂચનાં વડદલા ગામ પાસે ટેન્કરમાંથી કેમિકલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

વડોદરા : કરજણના દેથાણ ગામમાં ઠાકોર વિકાસ ટ્રસ્ટના અગ્રણીઓએ ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી.

ProudOfGujarat

ઝઘડિયા પોલીસ દ્વારા ગતરોજ તાલુકાનાં માલજીપુરા ગામ નજીકથી વાલીયા તાલુકાનાં એક ઈસમને દારૂનાં જથ્થા સાથે ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!