Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટના ઉપ સરપંચની દાવેદારીમાં થયેલ ખોટી સહી બાબતે ઉમેદવારનું ફોર્મ રદ કરવા બાબતે ભરૂચ જિલ્લા કલેકટરની આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Share

ગામ બોરભાઠા બેટના ઉપ સરપંચની દાવેદારીમાં થયેલ ખોટી સહી બાબતે ઉમેદવારનો ફોર્મ રજુ કરવા બાબતે કલેકટરને આવેદપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં ઉપસરપંચનાં દાવેદાર ધર્મેશ નારણભાઈ પટેલનાં જણાવ્યા અનુસાર બોર ભાઠા બેટ ખાતે તારીખ ૦૪-૦૨-૧૮ નાં રોજ ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામે ૦૬-૦૨-૧૮ના રોજ આવતા ઉપ સરપંચ ની વરણી અંગે ચૂંટી કમિશનર દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Advertisement

તેના અનુસંધાને તા.૨૩-૦૨-૧૮ના રોજ ચૂંટણી કમિશનર ગ્રામ પંચાયત કચેરીએ હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયતના ઉપ સરપંચ અન્ય દાવેદાર પ્રફુલ કાશીરામ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમના ઉમેદવારીના સમર્થનમાં ટેકો આપનાર ચૂંટાયેલ સભ્ય રીના બેન જયંતીભાઈ પટેલ હાજર ના હોવા છતાં તેમના પતિ જયંતીભાઈ રામુભાઈ પટેલે પોતે જાતે પોતાની પત્ની રીનાબેન જયંતીભાઈ પટેલના નામથી ટેકેદાર તરીકે સહી કરી ચૂંટી કમિશનરને આપેલ છે તેથી ઉપ સરપંચનાં દાવેદાર ઉમેદવારનાં ટેકેદારની સહી બોગેશ સાબિત થઇ હતી. આ અંગે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને ઉપસરપંચનાં દાવેદાર પ્રફુલ કાશીરામ પટેલની દાવેદારી રદ કરવા વિનંતી કરેલ છે.


Share

Related posts

દહેજની બિરલા કોપરના જનરલ મેનેજર સાથે ૫૮ લાખની ઓનલાઈન ઠગાઈ

ProudOfGujarat

૬,૭ ની ગેમ કોને ભારે પડશે..? ભરૂચ જિલ્લાની બે વિધાનસભા બેઠકો માટે ભાજપમાં ૧૭ દાવેદારો, આંતરિક કકળાટ કે પાર્ટીની રણનીતિ, કાર્યકરો મુંઝવણમાં.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના જાગેશ્વર ગામે આવેલા મીઠી તલાઇ આશ્રમના નાના મહારાજ ની હત્યા પ્રકરણ માં ભરૂચ પોલીસ ને મોટી સફળતા મળી હતી જેમાં હત્યાના આરોપી દંપતિ ની વારાણસી થી ધરપકડ કરવામાં આવતા હત્યા કાંડ માં ચોકવનારા ખુલાસા સામે આવ્યા હતા…

ProudOfGujarat
error: Content is protected !!