Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં કેલ્વીકુવા ગામે દીપડાએ ૩ વાછરડીનો શિકાર કરતાં વનવિભાગે પાંજરૂ મુક્યું

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગ્રા.પંચાયતના સભ્ય મનીષાબેન મયુરભાઇ ભક્તની ખેતી કંબોડીયા ગામની સીમમાં આવેલ છે. ખેતીની સાથે પશુપાલનો વ્યવસાય કરે છે એટલે ખેતરમાં ઢોર-ઢાખર માટે તબેલો બનાવ્યો છે. રાત્રીના અંધકારમા સમયે દીપડાએ પોતાના ખોરાકની શોધમાં ૩ વાછરડીનો શિકાર કર્યો હતો. જેમાં ૨ વાછરડીનું ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વાછરડીને દીપડો સાથે લઈ ગયો હતો. ખેડુતે નેત્રંગ વનવિભાગના આરએફઓ સરફરાઝ ઘાંચીને જાણ કરતાં ખેતરમાં દીપડાને પાંજરે પુરવા તજવીજ હાથધરી પાંજરૂ મુકવામાં આવતા ખેડુતે રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

દાંડિયા બજાર ગટર લાઈનના ખોદકામથી લોકોને પારાવાર તકલીફો …

ProudOfGujarat

શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા દ્વારા “પક્ષીઓની ઓળખ” અને “સાયન્સ વિથ ફન” વિષય પર ઓનલાઈન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડીયાદ પીજ ચોકડી નજીક હાઇવે ઉપર આઇસર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!