વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ ગામે ચૈત્ર માસ નિમિત્તે માતાજીના આઠમ પર્વની ભક્તિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. ગામના અંબાજી માતાજીના પટાંગણમાં આ પવિત્ર પ્રસંગે વિશેષ હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી હતી અને શ્રદ્ધાભાવથી પૂજા-અર્ચના કરી હતી. હવન દરમિયાન ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વાતાવરણ ભાવમય બની ગયું હતું. ભક્તોએ અંબાજી માતાજીના દર્શન કરી આત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી હતી.
Advertisement
આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અંબાજી માતાજી મંદિરના પ્રમુખ કલ્પેશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને ગામલોકો અને ભક્તોએ વખાણ્યું હતું.
