વાંકલ :: ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે દુર્ઘટનાજન્ય ઘટનામાં એક કિશોરનું મોત નીપજતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી મુજબ નસારપુરના વાંકી ફળિયામાં રહેતો વંશ છનિયા વસાવા (ઉ.વ. 12) પોતાના ઢોરને પાણી પીવડાવવા માટે નજીકના ડેમ ખાતે ગયો હતો.
ઢોરને પાણી પીવડાવી પરત ફરી રહ્યો હતો ત્યારે ઢોરને વાળતા દરમિયાન તેનો અચાનક પગ લપસી ગયો હતો અને તે ડેમના પાણીમાં પડી ગયો હતો. પાણીમાં ડૂબી જવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમજ ગ્રામજનો દોડી આવ્યા હતા અને બાદમાં મૃતદેહને પી.એમ. માટે ઝંખવાવ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વંશના પિતા છનિયા સામસીંગ વસાવાએ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
