Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં અગ્નિશમન સેવા દિન નિમિત્તે નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ

Share

તારીખ 14મી એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલા દારૂગોળા તથા અતિ જ્વલનશીલ સામગ્રી સાથે ભરાયેલા બ્રિટીશ માલવાહક જહાજ એસ. એસ. ફોર્ટ સ્ટાઈકીન  માં ભયંકર વિસ્ફોટ સાથે આગ લાગી હતી. આ ભયાનક ઘટનામાં આગ પર કાબૂ મેળવવા દરમ્યાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોક સુરક્ષા માટે પોતાના જીવની પરવા કર્યા વગર શૌર્યપૂર્વક કાર્ય કરતા શહાદત વ્હોરી હતી. આ દુર્ઘટનામાં 300થી વધુ લોકોના પણ મૃત્યુ નિપજ્યા હતા.
કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ દરમિયાન લોકોના જાનમાલનું રક્ષણ કરવા પોતાનું જીવન અર્પણ કરનાર નામી-અનામી અગ્નિશમન કર્મચારીઓની યાદમાં ભારત સરકારના  નિર્દેશ અનુસાર દર વર્ષે 14મી એપ્રિલે “અગ્નિશમન સેવા દિન” તરીકે ઉજવણી કરવામાં આવે છે.
આ પ્રસંગે આજે ભરૂચ જિલ્લામાં પણ અગ્નિશમન સેવા દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ફાયર બ્રિગેડના વાહનો સાથે શ્રદ્ધાંજલિ રેલી કાઢવામાં આવી હતી તેમજ કચેરી ખાતે 2 મિનિટનું મૌન પાળી વીર શહીદોને નમન કરવામાં આવ્યા હતા.

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલનાં કુટુંબીજનોને સાંત્વના અર્પવા કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પિરામણ આવ્યા.

ProudOfGujarat

માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદી ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા આર્થિક નીતિ આરક્ષણ .મહિલાઓ પર અત્યાચાર. શિક્ષણ પર્યાવરણ. જેવા મુદ્દા ઉપર ડિબેટ યોજાઇ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!