Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીજીની 35મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ

Share

 

ભરૂચ :

Advertisement

21 મે 2026 ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન Rajiv Gandhiની 35મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ સ્વ. રાજીવ ગાંધીજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના બલિદાન અને દેશ માટેના યોગદાનને યાદ કર્યું હતું.

આ પ્રસંગે કોંગ્રેસ આગેવાનો દ્વારા રાજીવ ગાંધીજીએ દેશમાં લાવેલી સંચાર ક્રાંતિ, કોમ્પ્યુટર અને ટેકનોલોજી ક્ષેત્રે કરેલા આધુનિકીકરણના પ્રયાસો તેમજ યુવાનોને રોજગાર સાથે જોડવાના વિઝનને યાદ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 21 વર્ષની વયે મતાધિકાર, પંચાયતી રાજ વ્યવસ્થા અને મહિલા સશક્તિકરણ માટે તેમણે કરેલા મહત્વપૂર્ણ કાર્યોને પણ વક્તાઓએ બિરદાવ્યા હતા.

કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ, ચૂંટાયેલા નગર સેવકો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ આગેવાન સલીમભાઈ અમદાવાદીએ જણાવ્યું હતું કે રાજીવ ગાંધીજીના સ્વપ્નનું ડિજિટલ ભારત આજે હકીકતમાં પરિવર્તિત થઈ રહ્યું છે. તેમણે દેશમાં IT ક્રાંતિ, ટેલિકોમ ક્ષેત્રે વિકાસ અને શિક્ષણના આધુનિકીકરણ દ્વારા યુવાનો માટે નવી તકો ઊભી કરી હતી.


Share

Related posts

આ રાશિના જાતકો માટે આવનારા 26 દિવસ વરદાન સમાન રહેશે, સૂર્ય ભગવાનની કૃપા વરસશે.

ProudOfGujarat

ભરૂચમાં સી.એ.બી અને એન.આર.સી. નો જોરદાર વિરોધ.

ProudOfGujarat

લ્યો બોલો – થોડા સમય પહેલા જ ખુલ્લું મુકાયેલ અંકલેશ્વરના સ્વર્ણિમ લેકવ્યું ગાર્ડનના બ્લોક પ્રથમ વરસાદમાં જ નીકળી ગયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!