Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વૃદ્ધા પર હુમલો: બાળકોને ધીમે સાયકલ ચલાવવા કહેતા પ્લાસ્ટિકની બેટથી માર માર્યાનો આક્ષેપ : માથા સહિત શરીરના ભાગે ઈજા, જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ

Share

 

ભરૂચ શહેરના કસક વિસ્તારમાં એક વૃદ્ધા પર પાડોશીએ હુમલો કરી ઈજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. પાણીના નળ તોડી નાખવાની બાબતે ટકોર કરતાં ઉશ્કેરાયેલા પાડોશીએ પ્લાસ્ટિકની બેટ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Advertisement

મળતી માહિતી મુજબ, વિણાબેન નરેશભાઈ કટારીયા (ઉ.વ. 75), રહે. મેઘવાડ સોસાયટી, કસક ફુવારા સામે, ભરૂચ, પરિવાર સાથે નિવૃત જીવન જીવી રહ્યા છે. ઘટના તા. 17 જૂન 2026ના રોજ સાંજના આશરે 8 વાગ્યાના અરસામાં બની હતી.

વિણાબેન પોતાના ઘર બહાર ખુરશી પર બેસી શાકભાજી સાફ કરી રહ્યા હતા. તે દરમિયાન સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ મૂળજીભાઈ સાધ્રાના પુત્ર સાયકલ ચલાવી રહ્યા હતા. ફરિયાદ અનુસાર, આ છોકરાએ અગાઉ બે વખત સાયકલથી તેમના પાણીના નળ તોડી નાખ્યા હતા. જેથી વિણાબેને છોકરાને સાયકલ દૂર ચલાવવાનું કહ્યું હતું.

આ વાતને લઈ છોકરાના પિતા પ્રકાશભાઈ મૂળજીભાઈ સાધ્રા ઉશ્કેરાઈ પોતાના ઘર બહારથી હાથમાં પ્લાસ્ટિકની બેટ લઈને આવ્યા હતા અને ગાળો બોલતા વિણાબેન તરફ ધસી આવ્યા હતા. આ દરમિયાન તેમણે વિણાબેનના માથામાં બેટ વડે ફટકો મારતા માથાની ચામડી છોલાઈ ગઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું.

ફરિયાદ મુજબ, આરોપીએ વધુ એક વખત હુમલો કરી ડાબા હાથ, બરડાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ બેટ વડે માર માર્યો હતો. વૃદ્ધાની બુમાબુમ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વધુ હુમલાથી બચાવ્યા હતા.

જતાં જતાં આરોપીએ “આજે તો તું બચી ગઈ છે, હવે પછી મારા છોકરાને રમવા બાબતે કંઈ કહેશે તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી પણ આપી હોવાનો આક્ષેપ છે.

ઈજાગ્રસ્ત વિણાબેનને તેમના દિયર જયેન્દ્રભાઈ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી.

આ બનાવ અંગે પ્રકાશભાઈ મૂળજીભાઈ સાધ્રા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વરના ગુલનાર સોસાયટીમાં રહેતા આઠ વર્ષીય બાળકે રમઝાન મહિનાના તમામ રોજા અદા કરી અલ્લાહની ઇબાદત કરી.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ગામોમાં ભૂંડોના ત્રાસથી ખેતરમાં ઉગેલા પાકને નુકસાન.

ProudOfGujarat

ભારત બંધના એલાનમાં ભરૂચ ના કોંગ્રેસી કાર્યકરોએ શહેરના મુખ્ય માર્ગો પર ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો તો શહેર ના મોટા ભાગ ના વિસ્તારોમાં દુકાનો ના શટર મોડે સુધી બંધ રહેલા જોવા મળ્યા હતા..તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ની સ્થિતિ સર્જાતી જોવા મળી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!