Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર માં બાળક નું અપહરણ અને ઘર ના વાડા માંથી મળેલ કંકાલ મામલે હિન્દૂ-મુસ્લીમ રહીશોએ આવેદન આપ્યું ……….

Share

 

અંકલેશ્વર શહેર ના ચૌટાનાકા નજીક આવેલ બાલાની ચાલ પાસે રહેતી સ્ત્રી એ ૬ મહિના અગાઉ સંજય નગર વિસ્તાર માંથી ૬ વર્ષ ના બાળક નું અપહરણ કરી તેના ઘર માં ૬ મહિના સુધી ગેરકાયદેસર નાનકડી પેટી માં ગોંધી રાખી તેની સાથે માનવતા વિરુદ્ધ નું ક્રુત્યું કરી એક સભ્ય સમાજ ને ન શોભે તેવું ક્રુત્યું કર્યું હતું…….

Advertisement

 

વધુ માં આ સ્ત્રી ના મકાન ના વાડા માંથી એક બાળક ના કંકાલ મળી આવ્યા હતા તે ઘટનાએ સમગ્ર જીલ્લા માં તેમજ રાજ્ય માં હાહાકાર મચાવ્યો હતો …જે ઘટના ને લઇ આજ રોજ અંકલેશ્વર શહેર ના હિન્દૂ-મુસ્લીમ રહીશો એ ભેગા મળી એક આવેદન પત્ર પાઠવ્યું હતું ….

 

અંકલેશ્વર ના રહીશો દ્વારા આપવામાં આવેલ આવેદન પત્ર માં જણાવ્યા મુજબ સમગ્ર ઘટના ની ઉંડાણ પૂર્વક ની તપાસ કરવામાં આવે તેમજ બાળક ના કંકાલ મામલે ઝીણવટ માં ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે અને સમગ્ર પ્રકરણ માં સામેલ તમામ લોકો ઉપર આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી…….


Share

Related posts

છત્તીસગઢ કોલસા કૌભાંડ મામલે કોંગ્રેસના પૂર્વ સાંસદ વિજય દરડાને 4 વર્ષની સજા ફટકારી

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં હાર્ટ એટેક થી વધુ એક યુવાનનું મોત, હોસ્પિટલ ના મેલ નર્સ નું મોત નીપજતા સ્ટાફ સહિત ગામ ના શોક નો માહોલ

ProudOfGujarat

રાજપીપલના રાણીપરા નામલગઢ તરફથી આવતી ST બસોને કુંવરપુરા ગામ પાસે વિદ્યાર્થીઓએ રોકી આંદોલન છેડ્યું : આપના આગેવાનને પોલીસે ડિટેન કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!