Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના કાપડ ઉદ્યોગ ના પ્રશ્નો ઉકેલની એકદમ નજીક, ટૂંક સમયમાં જ મહત્વની જાહેરાત

Share

જીગર નાયક,નવસારી

Advertisement

સુરતના કાપડ ઉદ્યોગના મહત્વના પ્રશ્નો અંગેની એક મહત્વની મીટીંગ આજે દિલ્હી ખાતે નાણામંત્રી શ્રી પીયુષ ગોયલ અને કાપડ મંત્રી શ્રીમતિ સ્મૃતિ ઈરાની સાથે સાંસદ સી આર પાટીલ અને સાંસદ પ્રભુ વસાવાએ કરી હતી. શ્રીમતી સ્મૃતિ ઈરાનીની સુરત મુલાકાત દરમ્યાન તેમને વેપારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવવા આજની મીટીંગમા હાજર અધિકારીઓને સૂચના આપી હતી. બન્ને મંત્રીઓએ સાંસદોને સુરતના કાપડ ઉદ્યોગના જીએસટીના વણ ઉકેલ્યા પ્રશ્નોનો તાત્કાલીક ઉકેલ લાવવાની ખાત્રી આપીને એની જાહેરાત ટૂંક જ સમયમાં કરવાની વાત કરી હતી.

સાંસદ સી આર પાટીલે આજની મીટીંગ અંગે વિગત આપતા કહ્યું હતું કે, આજની મુલાકાત ખૂબ સકારાત્મક રહી છે. જીએસટી અંગેની લગભગ મહત્તમ મુશ્કેલી હવે દૂર થશે. આ મિટીંગમા શ્રીમતી સ્મૃતિ ઈરાની, ટેક્ષટાઈલ મંત્રીનો ખૂબ જ સકારાત્મક સહયોગ રહ્યો હતો.


Share

Related posts

ભરૂચ માંડવા ટોલ પ્લાઝા નજીક ખાનગી લકઝરી બસમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

રૂપાલા સામે ક્ષત્રિય સમાજ માં આક્રોશ, ભરૂચ ખાતે ક્ષત્રિય બહેનોએ વડાપ્રધાન મોદી ને લખ્યા હજારો પોસ્ટ કાર્ડ, રૂપાલા ની ટિકિટ રદ કરવા કરી માંગ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ચૂંટણી-૨૦૨૬: મતદાનના ૪૮ કલાક પહેલા પ્રચાર અને રાજકીય SMS પર પ્રતિબંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!