Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ગોયાબજાર પાસે આવેલ બલવાડ વાળ વિસ્તારમાં બે માળ નું જર્જરિત મકાન ધરાસાય થતા ત્રણ વ્યક્તિ નો આબાદ બચાવ થયો હતો…..

Share


:-ભરૂચ શહેર અને જિલ્લામાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે જિલ્લામાં કેટલાય સ્થળો ઉપર થી જર્જરિત મકાનો અને દીવાલો ધરાસાય થવા અંગે ની વિગતો રોજ મ રોજ ટોક ઓફ ધી ટાઉન બની રહી છે.તંત્ર દ્વારા માત્ર નોટિસો આપી સંતોષ કરવામાં આવ્યો છે તો બીજી તરફ એક પછી એક જર્જરિત મકાનો અને દીવાલો ધરાસાય થવાની બાબત લોકો ના ભય ઉભી કરી રહી છે…
આજ પ્રકાર નો વધુ એક બનાવ આજ રોજ અંકલેશ્વર ના ગોયા બજાર વિસ્તારમાં આવેલ બલવાડ વાળ વિસ્તાર માંથી સામે આવ્યો હતો જેમાં એક બે માળ નું જર્જરિત મકાન અચાનક ધરાસાય થતા એક સમયે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…જોકે સમગ્ર બનાવમાં સદનસીબે બે થી ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો…..
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે જર્જરિત મકાન ધરાસાય થવાની અંદાજિત 6 થી વધુ ઘટનાઓ બની છે.જેમાં ૧ મહિલા નું મોત તેમજ ૫ થી વધુ લોકો અલગ અલગ બનાવો માં અત્યાર સુધી ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે….

Advertisement

Share

Related posts

શૈલી ફાર્મા કેમ, શ્રી ગણેશ રેમીડીઝ અને શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝ સહિતની ૨૧ કંપનીઓને ક્લોઝર નોટીસ ફટકારતું જીપીસીબી

ProudOfGujarat

વલસાડના ગુંદલાવ ગામે એક કંપનીમાં ભીષણ આગ :ઇન્કના ડ્રમ હવામાં ઉડ્યા.સાત ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી.

ProudOfGujarat

મહુધાના અલીણા ગામે સગા ભાઈ-ભાભીનું કાસળ કાઢનાર નાના ભાઈને ફાંસીની સજા ફટકારતી નડિયાદની સેસન્સ અદાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!