Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના હજીખાના બજાર વિસ્તાર માં એક મકાન ની દિવાલ ધરાશય થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ..

Share


-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના હાજી ખાના બજાર વિસ્તારમાં આવેલ એક જર્જરિત મકાન આજ રોજ સાંજ ના સમયે અચાનક ધરાસાય થતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી…જાણવા મળ્યા મુજબ જર્જરિત મકાન ની બાજુ માં અન્ય એક મકાન ને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી….
ઘટના ના પગલે એક સમયે દોડધામ મચી હતી જોકે સમગ્ર ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મકાન ના કાટમાળ ને હટાવવાની કામગીરી હાથધરી હતી…અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની મૌસમ માં ભરૂચ શહેર અને જિલ્લામાં એક પછી એક અલગ અલગ વિસ્તારોમાં મકાન ધરાસાય ની ઘટના ઓ પ્રકાશમાં આવી રહી છે તે બાબત નોટિસો આપી સંતોષ માડી રહેલા તંત્ર માટે મંથન રૂપી બની રહી છે…….

Advertisement

Share

Related posts

ભરૂચમાં તહેવારોને અનુલક્ષીને રસ્તા રીપેરીંગ, વીજ પ્રવાહ, સાફ-સફાઈ સહિતના મુદ્દે વિપક્ષ નેતાએ નગરપાલિકા સમક્ષ કરી રજુઆત

ProudOfGujarat

વડોદરામાં તૃષાની હત્યા બાદ પોલીસની પહેલ…જાણો શું ?

ProudOfGujarat

કોંગ્રેસનાં નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!