Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દહેજ ઘોઘા રો-પેક્સના શિપને રવાના કરાવતી વેળા ટગ પાણીમાં પલટી જતા ૧ ક્રુ મેમ્બરનું મોત નીપજ્યું હોવાની આશંકા.

Share

આજરોજ બપોરના સમયે દહેજ રો રો ફેરી સર્વિસ જેટીની બાજુમાં રો-પેક્સ શિપને પુશીંગ કરવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં ૭ જેટલા ક્રુ મેમ્બર્સ પોતાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન એકાએક વસિલ-૦૩ નામનું ટગ પાણીમાં પલ્ટી મારી ગયું હતું. ત્યારબાદ વસિલ-૦૩ ટગમાં સવાર કુલ ૭ ક્રુ મેમ્બર પૈકી ૬ જેટલા ક્રુ મેમ્બર મળી આવ્યા હતા. ટગના માસ્ટર હીરાલાલનો હાલ સુધી કોઈ પત્તો ન લાગ્યો હોવાથી પાણીમાં તેઓ ગરકાવ થઈ ગયા હોવાની આશંકા વર્તાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ દહેજ મરિન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

આ ઉપરાંત દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસને અવાર નવાર આવા વિઘ્નનો સામનો કરવો પડે છે તો શું આવનાર સમયમાં કોઈ મોટી હોનારત થઈ ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની…???


Share

Related posts

1 માસ બાદ મોદી ગુજરાત પ્રવાસે, 3 જિલ્લામાં લોકાર્પણ-ખાતમુહૂર્ત; લોકસભા ચૂંટણીના પ્રચારનું રણશીંગું ફુંકશે…

ProudOfGujarat

રાજપીપળા જિલ્લા જેલમાં વિશ્વ એઇડસ દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ભરૂચમાં અરુણોદય વસ્તી એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!