Proud of Gujarat
GujaratFeaturedINDIA

બંધારણની જોગવાઈના અસરકારક અમલ માટે આદિવાસી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ.

Share

ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ દ્વારા તેઓના બંધારણીય અધિકારો આપવા માટે ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું. સમગ્ર ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે ત્યારે આદિવાસી વસતી ધરાવતા વિસ્તારોમાં શિડ્યુલ-5 અમલ કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે.

આજે દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલ આદિવાસી વિસ્તારોમાં બંધારણીય અધિકારો આપવાની માંગ સાથે ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગ્રામસભાની કામગીરી અસરકારક બને તેમજ બંધારણના શિડ્યુલ-5 મુજબની જોગવાઈઓમાં ગ્રામ્યસ્તરે રાજ્યની શાસન વ્યવસ્થા લાગુ પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં ટ્રાઈબલ એડવાઇઝરી કમિટીની પણ પુનઃરચના કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી રહ્યું છે. તેમજ સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં આવેલ જમીનોને પણ નોટિફાઇડ વિસ્તાર જાહેર કરી આદિવાસીઓ પાસેથી જમીન હડપી લેવામાં આવે છે, તેવી જમીનો પણ આદિવાસીઓને પરત કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.


Share

Related posts

કૃષિ મહાવિદ્યાલય ભરૂચ ખાતે પોલીટેકનીક ઇન એગ્રીક્રલ્ચરના વિદ્યાર્થીઓ માટે “કેમ્પસ ઇન્ટરવ્યુનુ સફળ આયોજન” કરાયું.

ProudOfGujarat

ભરૂચ : કોરોના મહામારીમાં કાળા બજારી યથાવત,”રેમડેસીવીર” ઇન્જેકશનોનું કાળા બજારી કરતા એક ઇસમને 4 નંગ ઇન્જેકશનો સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

છોરિયાં ચલી ગાંવ’ પર જેકી શ્રોફના ભાવનાત્મક સંદેશ પછી કૃષ્ણા શ્રોફ ભાવુક થઈ ગઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!