Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ જુવેનાઈલ હોમ ખાતેથી ૨ બાળકો ગુમ થયા.જાણો ક્યાં અને કેવી રીતે ?

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ નજીક આવેલ કુકરવાડા રોડ પર સ્થિત જુવેનાઈલ હોમ ફોર બોયઝ સંસ્થાના ક્વાટર્સ માંથી ૨ બાળકો વહેલી સવારના સમયે ગુમ થયા હોવાની ઘટના બની હતી.જે અંગે સંસ્થાના કર્તા-હર્તાઓએ ચારે તરફ જાહેર સ્થાનકોએ તપાસ કરવા છતાં બાળકો ન મળી આવતા છેવટે ભરૂચ રૂરલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી .ફરિયાદમાં જણાવ્યા મુજબ જુવેનાઈલ હોમ ફોર બોયઝમાં રહેતા અક્ષય મનોજભાઈ વસાવા ઉમર વર્ષ ૧૩ અને ગણેશ અજયભાઇ વસાવા ઉમર વર્ષ ૧૨ ને તારીખ ૨૦-૩-૧૯ થી સંસ્થામાં મુકવામાં આવ્યા હતા.તેમને રહેવા માટે રૂમની સગવડ આપવામાં આવી હતી. જ્યાં અન્ય બાળકો સાથે તેઓ રહેતા હતા તેવામાં આજે સવારે સંસ્થાના વોચમેન ચંપક પહાડસંગ વસાવાએ જણાવ્યું હતું કે અક્ષય અને ગણેશ સવારના ૪ થી ૫ વાગ્યાના અરસામાં ગુમ થયેલ છે .આ અંગે ભરૂચ રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશન નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં શોધખોળ કરતાં ગણેશ વસાવા અને અક્ષય વસાવા મળી આવેલ નથી.ગણેશ વસાવાએ સફેદ ઉભી લાઈન વાળો શર્ટ તથા આછા ખાખી કલરનું પેન્ટ પહેરેલ છે .જયારે અક્ષય વસાવાએ લાલ અને સફેદ કલરનો ચેક શર્ટ તથા આછા બ્લેક કલરનું પેન્ટ પહેરેલ છે .આ અંગે ભરૂચ રૂરલ પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

નડિયાદ : કઠલાલ તાલુકાના વિશ્વનાથપુરા ગામમાં કાચુ મકાન ધરાશાયી થતાં એકનુ મોત, પાંચને ઇજા

ProudOfGujarat

संजू: कैमरे के पीछे की सच्चाई, अब होगी सबके सामने!

ProudOfGujarat

કંપનીઓમાં સર્જાતા અકસ્માતો વચ્ચે સ્થાનિક એજન્સીઓની કામગીરી પર પ્રશ્નાર્થ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!