Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર એનસીટીના કર્મચારીની હડતાલ ત્રીજા દિવસે એ.આઇ.એ,પી.આઈ.એ અને જીપીસીબી દ્વારા દરમિયાનગીરી કરી ચુંટણી બાદ તેમના પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની બાંહેધરી આપતાં કર્મીઓએ હડતાળ પાછી ખેંચી હતી.

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર, ઝગડીયા અને પાનોલી જીઆઇડીસીના પ્રદુષિત પાણીને ટ્રીટમેન્ટ કરી દરિયામાં ઠાલવતી એનસીટી કંપનીના કોન્ટ્રક્ટના કર્મચારીઓ ગત શનિવારના રોજ હડતાલ પર ઉતર્યા હતા. જેના ત્રીજા દિવસના અંતે જીપીસીબીની વડી કચેરીના અધિકારીઓ, એ.આઈ.એ અને પી.આઈ.એના કમિટી સભ્યો તેમજ એનસીટી અને કર્મચારીઓ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી.જે બેઠકમાં વાટાઘાટો બાદ મેનેજમેન્ટે કામદારોના પ્રશ્નોનું ચૂંટણી બાદ નિરાકરણ લાવવાની બાંહેધરી આપતા કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી હતી જેના પગલે કામદારોએ ફરી તેમની કામગીરીની શરૂઆત કરી હતી. જો કે ચૂંટણી બાદ તેમની માંગણીઓ નહિ સંતોષાય તો કર્મચાઓએ ફરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement


Share

Related posts

ભર ઉનાળા વચ્ચે ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં સર્જાતી લૉ વોલ્ટેજ અને વીજ કાપ ની સમસ્યા બાબતે જીઈબી ખાતે આગેવાનોની રજુઆત

ProudOfGujarat

આખરે શિક્ષણ વિભાગમાં ખાલી પડેલ જગ્યાઓ ભરાશે, 3 વર્ષ બાદ TET પરીક્ષાનું આયોજન કરાશે.

ProudOfGujarat

ભરૂચ ના પાલેજ નજીક આવેલ વરેડિયા ગામ પાસે પૂરપાટ ઝડપી જતી એક કર રેલીંગ તોડી ભૂખી ખાડી માં ખાબકતા બે લોકો ના ઘટના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!