Proud of Gujarat
FeaturedGujarat

“આપું વાલા સય” સમજી મત ન આપતા:એહમદ પટેલે કોને કટાક્ષમાં કહ્યું,જુઓ વિડીયો.

Share

વિશાલ મિસ્ત્રી,રાજપીપળા

ભરૂચ લોકસભા વિસ્તાર કોંગ્રેસના દિગગજ નેતા એહમદ પટેલનો વિસ્તાર છે.આ બેઠક છેલ્લી 7 ટર્મથી કોંગ્રેસ જીતતુ નથી જેથી એહમદ પટેલ માટે આ વખતે ભરૂચ બેઠક જીતવી એ શાખનો સવાલ બની ગયો છે. એ જ કારણે એહમદ પટેલ સતત 3 દિવસ સુધી ભરૂચમા રોકાઈ કોંગ્રેસ ઉમેદવાર માટે પોતે સભાઓ ગજવી પ્રચાર કરી રહ્યા છે.એહમદ પટેલે પોતે ભરૂચ લોકસભા બેઠકમા આવતા ડેડીયાપાડા વિધાનસભા,કરજણ વિધાનસભાના વલણ ગામે અને જંબુસર વિધાનસભા વિસ્તારના સમની ગામે જાહેર સભાઓ સંબોધી હતી.હવે એમની પોતાની આ મેહનત કેવો રંગ લાવે છે એ જોવું રહ્યું.

Advertisement

ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસે શેરખાન પઠાણને ઉતાર્યા છે.ડેડીયાપાડા ખાતે યોજાયેલી જાહેરસભામાં એહમદ પટેલે પોતાના સંબોધનમાં કટાક્ષમા એમ કહ્યું હતું કે “કોઈ નાત-જાત જોઈને” અને “આપું વાલા સય” એમ સમજી મત ન આપતા.કોણ કામમાં આવે છે,કોણ મદદરૂપ થાય છે એ જોજો.2017ની ડેડીયાપાડા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ઉમેદવાર ન હતો,આપણે એક પાર્ટીને મદદ કરી હતી.થઈ ગયું એ થઈ ગયું,ભૂતકાળમાં કરેલી ભૂલ આપણે હવે કરવા માંગતા નથી.તમારે એવા લોકોને મત આપવો જોઈએ કે જેના પગ હાલ કબરમાં છે કે પછી એવા લોકોને મત આપવો છે કે જે દિવસ રાત કામે આવે એ તમારે નક્કી કરવાનું છે એવું કટાક્ષમા જણાવ્યું હતું.હવે એમનો આ કટાક્ષ કોના તરફ ઈશારો કરે છે એ મોટો પ્રશ્ન છે.

હવે હાલ ડેડીયાપાડામાં BTP ના ધારાસભ્ય ચૂંટાયા છે,તો એ જોતાં એહમદ પટેલે પોતાના ભાષણમાં કરેલો કટાક્ષ પણ છોટુ વસાવા તરફ ઈશારો કરતો હશે એમ માનીએ તો બિલકુલ ખોટું નથી.ભરૂચ લોકસભા ચૂંટણી જીતવા એહમદ પટેલે પોતે રસ દાખવ્યો છે. ત્યારે આ બેઠક પર જો શેરખાન પઠાણ જો જીતે તો ભરૂચ બેઠક પર એહમદ પટેલ બાદ લઘુમતી ઉમેદવાર તરીકે બીજો ઉમેદવાર જીત્યો હોવાનું બહુમાન જરૂર પ્રાપ્ત થશે.


Share

Related posts

અંકલેશ્વર નજીક ને.હા.48 સ્થિત અંસાર માર્કેટ પાસે બે આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

પોલીસ શહિદ સ્મૃતિ દિવસ : વીરગતિને વરેલા દિવંગત પોલીસ જવાનોને મુખ્યમંત્રી-ગૃહ રાજ્યમંત્રીએ કૃતજ્ઞતા પૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરી

ProudOfGujarat

જાણો કયા સાપ્તાહિક પેપરોના ડેકરલેશન રદ થયા…..!!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!