Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચનું પાંજરાપોળ હાઉસફુલ.નવા અબોલ પશુ માટે નો એન્ટ્રી.જીવદયા પ્રેમીઓમાં નારાજગી…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના જે.બી.મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળમાં નવા કોઈપણ પશુ માટે પ્રતિબંધનું બેનર લગાવવામાં આવ્યું છે જેના કારણે જીવદયા પ્રેમીઓની મુંજવણમાં વધારો થયો છે.ભરૂચના આલી વિસ્તારમાં ચાલતા પાંજરાપોળને અનેક કારણોસર ૪ વર્ષ પેહલા જે.બી.મોદી પાર્ક પાસે અદ્યતન નવ-નિર્મિત સુવિધાવાળા પાંજરાપોળમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યાં ગાય,ભેંસ,બકરા વગેરે અબોલા પશુઓને સુવિધા જનક વાતાવરણમાં રાખવા સાથે તેઓના સ્વાસ્થ્યની પણ સંભાળ રાખવામાં આવે છે.હાલ આ પાંજરાપોળમાં પશુઓની સંખ્યા વધી ગઈ હોવાથી મુખ્ય દરવાજાની બહાર નવા કોઈ પણ પશુઓને રાખવામાં નહિ આવે તેવું બેનર લગાવવામાં આવતા ભરૂચના જીવદયા પ્રેમીઓની મુંજવાળમાં વધારો થયો છે તથા પાંજરાપોળના સંચાલકો સામે નારાજગી જોવા મળી રહી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરથી દેડિયાપાડા બસમાં મુસાફરી કરતા મુસાફરોની દયનિય હાલત.

ProudOfGujarat

ભરૂચ : સીલુડી ચોકડી પાસેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

રાજપીપળાની શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે આજે શ્રી રત્નસિંહજી મહિડા સાહેબની જન્મ જયંતી નિમિત્તે વિદ્યાર્થીઓને કોલેજ નાં ડો. હિતેશ ગાંધી ધ્વરા પરિચાત્મક વ્યાખ્યા આપવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!