Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરની નક્ષત્ર બંગ્લોઝ સોસાયટીમાં આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ માંગરોળ તાલુકાના વાંકલ ગામનો અને હાલ અંકલેશ્વરની નક્ષત્ર બંગ્લોઝ સોસાયટીના મકાન નંબર-૧૫ મા રહેતા ૩૦ વર્ષીય સુહાગ રામસિંહ વશીએ આજરોજ સવારે અગમ્ય કારણોસર પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે તેના પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોમાં યુવાનના લગ્ન હોય તેણે અંતિમવાદી પગલું ભરતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ જતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Advertisement


Share

Related posts

ભરૂચ જિલ્લામા તાપમાનનો પારો છેલ્લા વર્ષોના રેકોર્ડ તોડશે.જાણો કેમ ?

ProudOfGujarat

ભરૂચનાં વાલિયામાં ધુમ્મસ આચ્છાદિત વાતાવરણ : રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા.

ProudOfGujarat

સુરતમાં ઉધનાના એમ્બ્રોડરીના કારખાનામાં લાગી ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!