Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: નેશનલ હાઇવે ઉપર આર.ટી.ઓ અધિકારીઓએ ટ્રક ચાલકને માર માર્યો હોવાના આક્ષેપ.બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ આર.ટી.ઓ કચેરીના અધિકારી એમ.એસ.પંચાલ અને સ્ટાફ ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નેશનલ હાઇવે પર માંડવા નજીક વાહન ચેકીંગમાં હતો તે દરમિયાન રેતી ભરીને આવતી ટ્રકને રોકવાનો ઈશારો કરતા ટ્રક ચાલકે અધિકારીઓ પર ટ્રક ચઢાવી દેવાની કોશીક કરી ટ્રક હંકારી મૂકી હતી.અધિકારીઓએ ટ્રકનો પીછો કરતા ફરી ચાલકે સરકારી ગાડીને અડફેટે લેવાની કોશિશ કરતા આર.ટી.ઓ અધિકારીઓએ અન્ય ખાનગી કાર આગળ આડી કરી દઈ ટ્રકને ડીટેઇન કરી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો સામે પક્ષે ટ્રક ચાલક નવગણભાઈ ભરવાડે આર.ટી.ઓ અધિકારીઓએ તેને માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ જિલ્લામાં એક સાથે 70 ડેન્ટલ ક્લિનીક પર 450 જેટલા દર્દીના મોઢાના કેન્સરની તપાસ કરાઇ

ProudOfGujarat

સુરતમાં ડિફોલ્ટરર્સ વધતાં લોન પર બેંકોની બ્રેક

ProudOfGujarat

વિરમગામના ધારાસભ્ય દ્વારા બાળ સેવા કેન્દ્ર, સા.આ.કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફિસની મુલાકાત લેવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!