Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: નેશનલ હાઇવે ઉપર આર.ટી.ઓ અધિકારીઓએ ટ્રક ચાલકને માર માર્યો હોવાના આક્ષેપ.બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ આર.ટી.ઓ કચેરીના અધિકારી એમ.એસ.પંચાલ અને સ્ટાફ ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નેશનલ હાઇવે પર માંડવા નજીક વાહન ચેકીંગમાં હતો તે દરમિયાન રેતી ભરીને આવતી ટ્રકને રોકવાનો ઈશારો કરતા ટ્રક ચાલકે અધિકારીઓ પર ટ્રક ચઢાવી દેવાની કોશીક કરી ટ્રક હંકારી મૂકી હતી.અધિકારીઓએ ટ્રકનો પીછો કરતા ફરી ચાલકે સરકારી ગાડીને અડફેટે લેવાની કોશિશ કરતા આર.ટી.ઓ અધિકારીઓએ અન્ય ખાનગી કાર આગળ આડી કરી દઈ ટ્રકને ડીટેઇન કરી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો સામે પક્ષે ટ્રક ચાલક નવગણભાઈ ભરવાડે આર.ટી.ઓ અધિકારીઓએ તેને માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ઝધડીયાનાં નવી તરસાલી ગામની ગટરનું ગંદુ પાણી વારંવાર પાળ તૂટી જવાથી ખેડૂતોનાં ખેતરમાં જતાં નુકસાની વેઠવાનો વારો.

ProudOfGujarat

પાલેજ : બ્લુમુન શાળામાં બાળ ઉછેર અંગે મધર વર્કશોપનું આયોજન કરાયું.

ProudOfGujarat

વડોદરાના પૂર્વ વિસ્તારમાં અજાણ્યા શખ્સ એ અજગરને મારી નાંખતા જીવદયા પ્રેમીઓમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!