Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- ખરોડ ગામ ની સીમ મા એક યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર રૂરલ વિસ્તારની હદમાં આવેલ કરોડ ગામની સીમમાં એક અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર રૂલર પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવાનની ડેડબોડીનો કબજો લઇ અંકલેશ્વર ખાતે સરકારી હોસ્પિટલમાં યુવાનની ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ યુવાનનું નામ શૈલેષકુમાર ભીખાભાઈ હોય એવું જાણવા મળ્યું હતું તેમજ યુવાનની ઉંમર આશરે 28 થી 30 ની વચ્ચે હોય તથા યુવાન રાજપીપળા નો હોય તેવું જાણવા મળ્યું હતું.હાલ આ યુવાન કયા કારણોસર મૃત્યુ પામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.હાલ આ યુવાનના વાલી-વારસદારોને પોલીસ દ્વારા જાણ કરવામાં આવતા વારસદારો ઘટનાસ્થળે આવી ડેડબોડીનો કબજો મેળવ્યો હતો.

Advertisement


Share

Related posts

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રતનપુર નજીક ટ્રકે રીક્ષાને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઇજા.

ProudOfGujarat

ગુજરાતમાં શિક્ષણ સહાય યોજના હેઠળ 2.81 લાખ વિદ્યાર્થીઓને 160 કરોડની શિષ્યવૃત્તિ અપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!