Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- પાણીની કદર પ્યાસાને હોય,તેવા જ પીવાના પાણી માટેના દ્રશ્યો સારંગપુર ખાતે જોવા મળ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

ચોમાસાની ઋતુની શરૂઆત થઇ ચૂકી છે પરંતુ આજે પણ ભરૂચ સહિત ગુજરાતના અનેક જિલ્લાના તાલુકાઓમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે કેટલીક જગ્યાઓ ઉપર તો ટેન્કર દ્વારા પાણી સરકાર પહોંચાડી રહી છે.ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરા નગર, શાંતિનગર વિસ્તારોમાં પરપ્રાંતીય નોકરિયાત વર્ગ મોટી સંખ્યામાં વસે છે.જ્યાં પાણીની ભારે સમસ્યા ઉભી થઇ છે અને પીવાના પાણી માટે પડાપડી જોવા મળી રહી છે.પાણીની સમસ્યા એટલી હદે વધી છે કે મહિલાઓએ પાણી માટે પોતાના ઘરથી દૂર જવું પડે છે. લીકેજ પાણીની લાઇનો માંથી કલાકો સુધી માથે તપેલું તેમજ અન્ય સામગ્રી વડે પાણી ભરવા માટે ઉભા રહેવું પડે છે.પોતાના પરિવારની પાણીની જરૂરિયાત પુરી કરવા મહિલાઓ રાત દિવસ એક કરી રહી છે પરંતુ જાડી ચામડીના નેતાઓને પ્રજા પ્રત્યે કરેલા વાયદાઓ ક્યારે પણ પરિપૂર્ણ કરવામાં સફળ નીવડ્યા નથી. ગુજરાત સરકાર ઘર-ઘર સુધી પાણી પહોંચાડયું છે તેવી ડંફાસો મારતા હોય છે પરંતુ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે જે રીતના મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે તે દ્રશ્ય જોતા તો એવું જ લાગી રહ્યું છે કે ગુજરાત સરકાર પ્રજાને પાણી પહોંચાડવા માટે નિષ્ક્રિય સાબિત થઈ રહી છે.

Advertisement


Share

Related posts

વિશ્વના શ્રેષ્ઠ રહેવાલાયક શહેરોમાં ભારતનું દિલ્હી શહેર 112 મા ક્રમે.

ProudOfGujarat

અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ કરવા વિરમગામના પત્રકારોની માંગણી. અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા મુખ્યમંત્રીને અનુલક્ષીને વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ProudOfGujarat

અભિનેત્રી જ્યોતિ સક્સેના તેના પ્રિય મિત્ર રાજુ શ્રીવાસ્તવ વિશે કહે છે : “મારા માટે એ હકીકત સ્વીકારવી ખૂબ જ મુશ્કેલ છે કે તે હવે નથી”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!