Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર: એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું પરંતુ ચોરો નિરાશ થઈને પરત ફર્યા…

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલ સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા મોહમ્મદ ગોરાભાઈ ગંગાત પોતાનું મકાન બંધ કરી યુનાઇટેડ કિંગડમ ખાતે ગયેલ છે.ચોરોએ બંધ ઘરના આગળના દરવાજાનો નકૂચો તોડી બેડરૂમમાં મુકેલ કબાટ તોડી નાખી તેમાનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો પરંતુ કોઈપણ પ્રકારની કિંમતી વસ્તુ કે દાગીના ન મળી આવતા ચોરોએ ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું.અત્રે નોંધવું રહ્યું કે અન્ય થોડા અંતરે એક અન્ય બીજા મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું પરંતુ ત્યાં પણ ખાંખા-ખોળા કર્યા બાદ કંઈ પણ ન મળતાં ચોરો પાછા ફર્યા હતા.આ બંને મકાનમાલિકો એકબીજાના સબંધી છે આ અંગે શહેર પોલીસ સ્ટેશનમાં એક જાણ કરતી અરજી આપવામાં આવી છે.

Advertisement


Share

Related posts

વડોદરા : રહસ્યમય આશંકાઓ : GSFC ના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીએ પ્લાન્ટમાં જ આપઘાત કરી લેતા ચકચાર

ProudOfGujarat

ભરૂચની શાળાઓમાં વાહનો થકી જતા બાળકોની જોખમી સવારી, અકસ્માતને આમંત્રણ આપે તે પ્રકારે બાળકોને બેસાડી લઈ જવાય છે

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા જન ચેતના કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!