Proud of Gujarat
FeaturedGujarat

બૌડા દ્વારા નંદેલાવ રોડ પર આવેલ ૨ કોમ્પ્લેક્સ સીલ કરાયા.હજી પણ બૌડાના કાયદાની વીજળી ત્રાટકે તેવી સંભાવનાના પગલે ફફડાટ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ અંકલેશ્વર શેહરી વિકાસ સત્તા મંડળ એટલે કે બૌડા દ્વારા નંદેલાવના ૨ કોમ્પ્લેક્સ ને સીલ કરાતા ખળભળાટ મચી ગયો છે.આ અંગે મળતી માહિતી મુજબ અરજદાર સચિન પટેલે તારીખ ૧/૮/૨૦૧૮ ના રોજ અરજી કરી હતી તે સાથે મુકેશ.એસ.વસાવાએ પણ આજ અરસામાં અરજી કરી હતી.બૌડાને મળેલ આ અરજીના સંદર્ભે બૌડા કચેરી દ્વારા પત્રવવ્યહાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ પરંતુ તાજેતરમાં બૌડા દ્વારા આર.પી.એ.ડી દ્વારા અયુબ ઇસ્માઇલ પટેલ રહેવાસી ન્યૂ મદની પાર્ક નંદેલાવ રોડ, ને નોટિસ આપી જણાવાયું હતું કે નંદેલાવ તાલુકા ભરૂચ ના સ.ન.૪ પૈકી એક પ્લોટ નંબર ૧,૨ માં આવેલ મદની એવન્યુ વાળી જમીનમાં બિનઅધિકૃત બાંધકામ અંગે અરજદારો દ્વારા અરજીઓ બૌડા કચેરીને મળતા સ્થળ તપાસ કરવામાં આવી હતી .જેમાં ભોંયતળિયે દુકાનનું તથા પ્રથમ માળે દુકાન/ફ્લેટ ,બીજા તથા ત્રીજા માળે રહેણાંક ફ્લેટનું અનધિકૃત બાંધકામ કરેલ હોવાનું માલુમ પડેલ છે. જેથી આ અંગે સુનાવણી રાખવામાં આવેલ હતી પરંતુ તેમાં અયુબ પટેલ ગેરહાજર રહેલ છે તેથી અરજીમાં દર્શાવેલ બાંધકામ હાલ પૂરતું સીલ કરવામાં આવે છે એમ બૌડા કચેરીએ જણાવેલ છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

સાયબર ગુનાખોરી સામે ભરૂચની શાનદાર કામગીરી, ત્રણ પોલીસકર્મીઓને રાજ્યસ્તરીય ‘સાયબર કોપ’ સન્માન

ProudOfGujarat

ઉમલ્લા પોલીસ દ્વારા બહારથી આવેલા ઇસમ પર જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!