Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામમાં નજીવા મુદ્દે માથાભારે તત્વોએ આદિવાસી યુવાનોને મારમારતા ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

Share

અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામમાં નજીવા મુદ્દે માથાભારે તત્વોએ આદિવાસી યુવાનોને મારમારતા ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

પ્રાપ્ત માહિતી અનુસાર અંક્લેશ્વર તાલુકાના રવિદ્રા ગામની નવી નગરીમાં રહેતા ૩૨ વર્ષીય નરેશ કાંતિભાઈ વસાવા અને તેના બનેવી શૈલેશ રામદાસભાઈ વસાવા ગતરોજ સાંજના સમયે ગામમાં આવેલ મહાદેવ મંદિર પાસેના તળાવ નજીક મુકલે બાકડા પર બેઠા હતા તે દરમિયાન ગામના જ જાબીર ગુલામ પટેલ,મહમદ ગુલામ પટેલ અને સિકંદર પટેલ સહીત ચાર ઇસમોએ ભેગા મળી બાકડા પર બેસવા મુદ્દે જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી આવેશમાં આવી ગયેલા ચારેય ઇસમોએ લાકડા અને ચપ્પુ વડે હુમલો કરી બંને આદિવાસી યુવાનોને ઢીકાપાટુનો મારમારી ઈજા પહોંચાડી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવાને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

SC-ST એટ્રોસીટી એક્ટ અંગે નામદાર સુપ્રીમકોર્ટ ના ચુકાદાના બહાના હેઠળ જીલ્લા પોલીસવડા ભરૂચ ના પરિપત્રના વિરોધ તથા પરિપત્ર રદ કરવા બાબતે ભીલસ્થાન ટાઇગર સેના દ્વારા આવેદન પત્ર પાઠવાયું હતું……………..

ProudOfGujarat

વિધાનસભા ચૂંટણીને લઇ જંબુસરમાં મોદી..મોદી…વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી જનમેદની વચ્ચે સભાને સંબોધી.

ProudOfGujarat

જંબુસર: નગરના રોડ પ્રશ્ને શહેર અને તાલુકાના જાગૃત નાગરિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!