Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-આલીયાબેટમાં એકસાથે 100 થી વધુ ધેટાંના મોત-કુતરાઓએ કરેલ હુમલા 5 ઘેટા ઘવાયા બાદ દોડધામમાં એક પર એક ધેટા ચઢી જતા મોત

Share

આલીયાબેટમાં એકસાથે 150 થી વધુ ધેટાંના મોત નિપજતા પશુ માલિકો ભારે આઘાતમાં શરી પડ્યા હતા. કુતરાઓએ કરેલ હુમલા 5 ઘેટા ઘવાયા બાદ દોડધામમાં એક પર એક ધેટા ચઢી જતા મોત નિપજ્યા હતા. ધેટાંના શ્વાસ રુંધાવાના કારણે મોતનું પશુપાલકાઓનું અનુમાન લગાવી રહ્યા છે. 3 ગામના 5 પશુપાલકોને અંદાજિત 10 લાખ ઉપરાંતનું નુકશાન થયાનું જણાવી રહ્યા છે.
હાંસોટ નજીક આલીયાબેટ વિસ્તારમાં અંકલેશ્વર તાલુકાના તરીયા, જુના ભાઠા, અને સજોદ ગામના 5 જેટલા પશુપાલકો ચોમાસા દરમિયાન 450 થી વધુ ધેટાં- ધેટીનું ઝુંડ લઇ આલીયાબેટ ખાતે ગયા છે. જ્યા આજરોજ ત્યાં રહેતા કુતરાઓએ ધેટાંના ટોળા પર હુમલો કર્યો હતો. જેમાં 5 ધેટાંને ફાડી ખાધા હતા. આ દરમિયાન ટોળું દોડધામ મચી જતા એક પર એક ધેટાં ચઢી ગયા હતા.જેમાં ધેટાંઓ દબાય જતા તેમજ શ્વાશ રુંધાનતા ત્યાંજ 150 થી વધુ ધેટાંના મોત નિપજ્યા હતા

Advertisement

Share

Related posts

“આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે તા. 24 થી 31 ઓક્ટોબર સુધી ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્ક શોપ આયોજન.

ProudOfGujarat

ભરૂચ : વડોદરા-મુંબઈ એકસપ્રેસ વે નાં અસરગ્રસ્ત ખેડુતો વધુ વળતર મેળવવાની માંગ સાથે જિલ્લા કલેકટરને કરાઇ રજુઆત..!!

ProudOfGujarat

જિયો પેમેન્ટ્સ બેંકે મલ્ટી-લેન ફ્રી ફ્લો (એમએલએફએફ) રોડ પ્રોજેક્ટ્સ માટે નેક્સ્ટ-જેન ટોલિંગ સર્વિસીઝ ક્ષેત્રે પ્રવેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!